SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્રસંવેદના-૪ શ્રાવકને પાપથી સંપૂર્ણ વિરામ કરાવે એવું સર્વવિરતિરૂપ સંયમજીવન અતિ પ્રિય હોય છે. શ્રદ્ધાળુ શ્રાવક સમજે છે કે જ્યાં સુધી સર્વ પાપોથી અટકીશ નહિ ત્યાં સુધી સુખ કે શાંતિની પ્રાપ્તિ પણ થશે નહિ. આવી સમજ હોવા છતાં જ્યાં સુધી સંયમજીવન સ્વીકારવાનું સત્ત્વ પોતાનામાં પ્રગટ્યું ન હોય ત્યાં સુધી તે સત્ત્વને પ્રગટાવવા જ આ સૂત્રમાં વર્ણવેલ “સમ્યકત્વ મૂળ બાર વત' કે પોતાની શક્તિ અનુસાર ઓછાં-વધતાં વ્રતોનો તે સ્વીકાર કરે છે અર્થાત્ સર્વથા હિંસાદિ પાપોથી અટકવાના લક્ષ્યપૂર્વક મોટી હિંસા ન કરવી, મોટું જૂઠું ન બોલવું વગેરે વ્રતો સ્વીકારે છે અને અન્યની જયણા (છૂટ) રાખે છે. જયણા એટલે યતના પાપથી બચવાની ભાવનાપૂર્વકનો સુયોગ્ય પ્રયત્ન એટલે કે “મોટા (ત્રસ) જીવોની મારે હિંસા ન કરવી પણ સ્થાવર જીવોની જયણા.” આવો નિયમ સ્વીકારી શ્રાવક ત્રસ જીવોની હિંસા તો જાણી જોઈને નથી કરતો, પરંતુ પૃથ્વી, પાણી આદિની હિંસા પણ તે અત્યંત આવશ્યકતા વિના નથી કરતો; અને આવશ્યકતા ઊભી થાય ત્યારે પણ જરૂરિયાત કરતાં અધિક હિંસાદિ ન થાય તેની ખૂબ કાળજી રાખે છે. ટૂંકમાં જ્યારે શ્રાવક ન છૂટકે પૃથ્વી, પાણી આદિની હિંસા કરે છે ત્યારે પણ તેનું હૃદય તો ડંખતું હોય છે. તે પાપથી પણ છૂટવાની તેની મથામણ ચાલુ જ હોય છે. આમ છતાં અનાદિઅભ્યત વિષય-કષાય અને પ્રમાદાદિ દોષો વ્રતને મલિન કરે છે. આ મલિનતા દૂર કરવા માટે જ આલોચના, નિંદા, ગહ અને પ્રતિક્રમણ જેવાં ચાર ઉત્તમ સાધનો આ સૂત્રમાં જણાવ્યાં છે. આ બાર વ્રતનું અને તેને મલિન કરનારા અતિચારોનું વિસ્તૃત વર્ણન ધર્મબિંદુ, યોગશાસ્ત્ર, ધર્મસંગ્રહ આદિ અનેક ગ્રંથોમાં બતાવવામાં આવ્યું છે. અહીં તો તેની ટૂંકી સમજ સાથે તે તે વ્રતોને મલિન કરનારા મોટા મોટા દોષોનું વર્ણન કરેલ છે. મોટા દોષોના આધારે સૂક્ષ્મમાં સૂક્ષ્મ દોષોને સાધકે સ્વયં વિચારવાના છે, અને તેના આધારે ભૂતકાળના દોષોની શુદ્ધિ કરી ભાવિમાં આ પ્રકારના દોષોનું આસેવન ન થઈ જાય તે માટે વધુ સજાગ બનવાનું છે. જો સાધક સાવધ ન-બને તો અનાદિકાલીન વિષય-કષાયના સંસ્કારો અને સતત મળતાં નિમિત્તો સાધકને ક્યારે પાડે તે કહેવાય નહિ. નિમિત્તોની અસરથી બચવા અને મનને મર્યાદિત બનાવવા જ વ્રત સંબંધી થતા દોષોની વિચારણા આ સુત્રમાં કરી છે.
SR No.005838
Book TitleSutra Samvedana Part 04
Original Sutra AuthorN/A
AuthorPrashamitashreeji
PublisherSanmarg Prakashan
Publication Year2006
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy