________________
૧૪
સૂત્રસંવેદના-૪
પ્રકાશિત થશે; પરંતુ અનેક જિજ્ઞાસુઓના આગ્રહના કારણે શ્રાવક પ્રતિક્રમણમાં શિરમોર સ્થાને રહેલ “વંદિતુ સૂત્ર' અત્યારે પ્રસ્તુત થઈ રહ્યું છે. તેને માત્ર એકવાર વાંચીને નહિ, પરંતુ પુનઃ પુનઃ તેનું ચિંતન અને મનન કરી તેના ભાવોને હૃદયમાં સ્થિર કરી જેઓ પ્રતિક્રમણ કરશે, તેઓ જરૂર આ સૂત્ર દ્વારા આત્મશુદ્ધિને પ્રાપ્ત કરી શકશે.
સૌ તે પ્રમાણે આત્મશુદ્ધિ પામી વહેલામાં વહેલા પરમપદને પામો એ જ શુભાભિલાષા.