________________
સૂત્રસંવેદના-૪
(૫) કાયોત્સર્ગ અને (૬) પ્રત્યાખ્યાન : એ છ આવશ્યક છે.
આ છએ આવશ્યકના સમૂહને ‘પ્રતિક્રમણ’ કહેવા પાછળનું કારણ એ છે કે પ્રતિક્રમણની ક્રિયાને વિશેષ શુદ્ધ બનાવવા માટે પૂર્વનાં ત્રણ આવશ્યક કરવાં જરૂરી છે, અને પ્રતિક્રમણ આવશ્યક પછી પુનઃ પાપ ન થાય તેવી ભૂમિકા સર્જવા માટે પાછળનાં બે આવશ્યક કરવાં જરૂરી છે.
၄
ડહોળાયેલા પાણીની નીચે રહેલી ચીજો જેમ જોઈ શકાતી નથી, પરંતુ સ્થિર અને નિર્મળ પાણીની નીચે રહેલી વસ્તુ સુખેથી જોઈ શકાય છે; તેની જેમ જીવ પણ જ્યાં સુધી સંસારના મમતાકૃત ભાવોથી ચંચળ બનેલો હોય છે, ત્યાં સુધી તેને પોતાના દોષો દેખાતા જ નથી, જ્યારે તે આ મમતાના ભાવોથી પર થઈ સમતાના ભાવમાં સ્થિર થાય છે, ત્યારે જ તેનું મન શાંત થાય છે અને તે આંતરિક પાપોનું અવલોકન કરી શકે છે. આથી પ્રતિક્રમણ કરનાર સાધકે સમતાભાવને પ્રાપ્ત કરવા સૌ પ્રથમ “સામાયિક” નામનું આવશ્યક સ્વીકારવું પડે છે.
ત્યાર બાદ, પાપને પાપરૂપે ઓળખવા અને પાપથી મુક્ત થવા માટે સામાયિકમાં-સમતામાં રહેલો જીવ, જેઓ સંપૂર્ણ શુદ્ધભાવમાં રહેલ છે તેવા અરિહંત પરમાત્માને, અને નિષ્પાપ જીવન જીવનારા ગુરુ ભગવંતને, વંદના કરવારૂપ “ચવિસત્થો” અને “વંદન”4 નામનું આવશ્યક કરે છે; જેનાથી તેનામાં પાપ પ્રત્યે તિરસ્કારભાવ પેદા થાય છે, અને ગુણ પ્રત્યેનો લગાવઝુકાવ વૃદ્ધિ પામે છે, જે પ્રતિક્રમણ માટે અતિજરૂરી ભાવો છે.
આ ત્રણ ક્રિયા બાદ “પ્રતિક્રમણ” નામનું ચોથું આવશ્યક થાય છે. આ પ્રતિક્રમણ, કોઈપણ દોષાચરણથી આત્મા મલિન થયો હોય તેની વિશુદ્ધિ માટે કરવાનું હોય છે, અને કદાચ દેખીતી રીતે તે દોષો ન થયા હોય તો પણ ભવિષ્યમાં એ દોષો થવામાં કારણભૂત આત્મામાં પડેલા કુસંસ્કારોના શોધન માટે પણ, આ પ્રતિક્રમણ કરવાનું હોય છે.
પાપ થવાનું મૂળ કારણ મન, વચન અને કાયા સંબંધી કુસંસ્કારો છે. પ્રતિક્રમણથી આ કુસંસ્કારોને દૂર કરી, વિશેષ શુદ્ધ થવા માટે પ્રતિક્રમણ કર્યા પછી સાધક “કાયોત્સર્ગ” નામનું પાંચમું આવશ્યક કરે છે. કાયોત્સર્ગ
4. સામાયિક, ચઉવિસત્થો અને વંદન નામના આવશ્યકનું વિસ્તૃત વર્ણન સૂત્ર સંવેદના ભાગ૧માં કરેમિ ભંતે, લોગસ્સ, ઇચ્છકાર વગેરે સૂત્રની વિવેચનામાં પ્રસ્તુત કરાયું છે. આ એ આવશ્યકની વધુ વિચારા ‘વંતિ' સત્રની ગાથામાં છે.