________________
સૂત્રસંવેદના-૪
- પ્રતિક્રમણની આ પ્રક્રિયા સુગમ (સહેલી) નથી. આ પ્રક્રિયા રાધાવેધ સાધવા જેવી દુષ્કર છે. રાધાવેધને સાધવાની ઘણાની ઇચ્છા હોવા છતાં અર્જુન જેવા કેટલાક સાત્ત્વિક પુરુષો જ તેને સાધી શકે છે. તેમ ઘણા સાધકોની ક્યારેય પાપ ન કરવું પડે તેવું નિષ્પાપ જીવન જીવી, આ ઉત્સર્ગ માર્ગનું પ્રતિક્રમણ કરવાની ભાવના હોવા છતાં કેટલાક અત્યંત સાવધાન બનેલા જીવો જ ઉત્સર્ગ માર્ગનું પ્રતિક્રમણ કરી શકે છે. અન્ય સાધકોની આવી ઇચ્છા હોવા છતાં કર્મની પરાધીનતા, કષાયોની પ્રબળતા અને સત્ત્વની અલ્પતાના કારણે ઘણીવાર ચૂકી જાય છે, અને જે પાપનું પ્રતિક્રમણ કર્યું હોય તે પાપ પણ તેમનાથી પુનઃ પુનઃ સેવાઈ જાય છે. આમ છતાં પાપભીર સાધકને પોતાનાથી થઈ ગયેલી ભૂલ શલ્યની જેમ ખટકે છે, સેવાયેલાં પાપો આંખમાં પડેલા તણખલાની જેમ ખૂંચે છે. પરિણામે તેને પાપથી મુક્ત થવાની ભાવના જાગે છે. પાપથી મુક્ત થવાની આ ભાવનાને સફળ કરવા સાધક દુઃખાદ્ધ હૃદયે ગુરુ ભગવંત સમક્ષ આલોચના, નિંદા અને ગઈ કરી, પાપથી અશુદ્ધ થયેલા આત્માને શુદ્ધ કરવાની જે એક વિશિષ્ટ પ્રક્રિયા કરે છે, તેને જે અપવાદથી પ્રતિક્રમણ કહેવાય છે.
' ' આમ, “પાપ ન કરવું. (અર્થાત્ એકવાર જે પાપનું પ્રતિક્રમણ કર્યું તે પાપ જીવનમાં બીજીવાર થાય જ નહિ, તેવી ચિત્તભૂમિકાને તૈયાર કરવી) તે ઉત્સર્ગથી પ્રતિક્રમણ છે, અને પાપ થઈ ગયા પછી પ્રામાણિકપણે તેનાથી પાછા ફરવાનો પ્રયત્ન કરવો”, તે અપવાદથી પ્રતિક્રમણ કહેવાય છે.'
આ સિવાય બાહ્ય રીતે જે પ્રતિક્રમણની ક્રિયા કરાય છે, પણ જેમાં પાપથી શુદ્ધ થવાની કોઈ ભાવના ન હોય, પુનઃ પાપ ન થાય તેવી કોઈ કાળજી લેવાતી ન હોય, પ્રતિક્રમણ કર્યા પછી પણ તે જ રીતે તેવા ને એવા જ ભાવથી પાપો થયા કરતાં હોય, તો તે પ્રતિક્રમણની ક્રિયા પ્રતિક્રમણ નથી, પણ પ્રતિક્રમણાભાસ છે. આવા પ્રતિક્રમણની ક્રિયા માટે પૂ. ભદ્રભાણુસ્વામી તો બહુ કડક શબ્દ વાપરી તેને માયાપૂર્વકનો મૃષાવાદ જ કહે છે. મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મ.સા. આ જ વાતને દોહરાવતાં કહે છે.
મિચ્છા દુક્કડ દેઈ પાતિક, તે ભાવે પણ સેવે; આવશ્યક સાખે તે પરગટ, માયામોસને સેવે.”
. ૧૫૦ ગાથાનું સ્તવન સાધક દ્વારા સાવધાની રાખવા છતાં, ઇચ્છા નહિ હોવા છતાં કોઈકવાર પુનઃ પુનઃ તે જ પાપ થઈ જાય છે ત્યારે “આ પાપ કરવા જેવું તો નથી જ, ક્યારે એવો