________________
' સમ્યગ્દષ્ટિનું પ્રતિક્રમણ
૨૨૫
૨. જ્ઞાન - વ્રતોના પ્રકારો, ભંગસ્થાનો, અતિચારો વગેરેનું સમ્યજ્ઞાન મેળવવું. ૩. ગ્રહણ - ગુરુ પાસે અલ્પકાલીન કે જાવજીવ માટે વ્રતોનો સ્વીકાર કરવો.
૪. પ્રતિસેવન - વ્રતોનું સમ્યફ પ્રકારે પાલન કરવું. ૨. શીલવાન : શીલના છ ગુણો જેનામાં હોય તે શીલવાન છે. ૧. આયતન સેવી - જ્યાં ઘણા બહુશ્રુત સદાચારી, ચારિત્રાચારસંપન્ન
સાધર્મિકો ધર્મારાધના કરતા હોય ત્યાં જ સુશ્રાવક રહે. ૨. પરગૃહપ્રવેશ ત્યાગ - મોટા કારણ વિના પારકા ઘરે ન જાય. ૩. ઉદ્ભટ વેષત્યાગ - ઉદ્ભટ-અસભ્ય વેષ ત્યજે. ૪. વિકાર વચનત્યાગ - વિકાર પેદા થાય એવાં વચનો ન બોલે ૫. બાલક્રીડા ત્યાગ - જુગાર રમવો વગેરે બાલક્રીડા કહેવાય છે. તેનો ત્યાગ
૭. મધુર નીતિથી સ્વીકાર્ય સાધન - મીઠાં વચનોથી સ્વકાર્ય સાધે, કઠોર
વચનોનો પ્રયોગ ન કરે ૩. ગુણવાન :
ગુણો અનેક પ્રકારના છે. છતાં નીચેના પાંચ ગુણો જેનામાં હોય તે ગુણવાન છે. ૧. સ્વાધ્યાય - પાંચ પ્રકારનો સ્વાધ્યાય કરે. ૨. કરણ - તપ, નિયમ, વંદનાદિ અનુષ્ઠાનો કરે. ૩. વિનય - ગુરુ વગેરેનો અભુત્થાનાદિ વિનય કરવામાં પ્રયત્નશીલ બને. ૪. સર્વત્ર અનભિનિવેશી - બધા કાર્યોમાં કદાગ્રહરહિત અને વાળ્યો વળે તેમ
હોય. ૫. જિનવચન રુચિ – જિનવચન - જિનાજ્ઞામાં રુચિ-શ્રદ્ધા-ઈચ્છા ધારે. ૪ ઋજુવ્યવહારી :
ઋજુ એટલે સીધો વ્યવહાર જેનો હોય તે ઋજુવ્યવહારી છે. ચાર ગુણોવાળો ઋજુવ્યવહારી કહેવાય. ૧. યથાર્થ ભણણ - જેવું છે તેવું યથાર્થ – અવિસંવાદી વચન બોલે.