SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ સૂત્રસંવેદના-૪ ૨. અવંચિકા કિયા - મન-વચન-કાયાથી અન્યને ન ઠગે. ૩. અપાયકથક - અશુદ્ધ વ્યવહાર કરનારને ભાવિમાં જે અપાયો પ્રાપ્ત થાય. તે કહી બતાવે. એ માટે - “હે ભદ્ર ! ચોરી વગેરે પાપ ન કરો ! આ પાપો, આ લોકમાં અને પરલોકમાં અનર્થ કરનારાં છે' - એમ હિતશિક્ષા આપે. ૪. મૈત્રીભાવ - સદ્દભાવથી નિષ્કપટ મૈત્રીવાળો બને. ૫. ગુરુશુશ્રુષા (સેવા) કારી : નીચે મુજબના ચાર ગુણ જેનામાં હોય તે ગુરુ સેવાકારી છે. ' ૧. સેવા - ગુર્નાદિકની સેવા-પર્યુપાસના કરે. ૨. કારણ - ગુરુની પ્રશંસા આદિ કરે. તેથી બીજા લોકોને પણ ગુરુની સેવામાં જોડે. ૩. સંપાદન - ગુરુને જરૂરી ઔષધાદિ દ્રવ્યો મેળવી આપે. ૪. ભાવ - ગુરુજનના ચિત્ત (ઇચ્છા)ને અનુસરે. આ ચાર પ્રકારે આરાધ્ય એવા ગુરુવર્ગની શુશ્રુષા કરનારો ગુરુશ્રુષાકારી બને છે. જોકે માતા, પિતા, કલાચાર્ય વગેરે પણ ગુરુ કહેવાય છે. છતાં અહીં ધર્મનો અધિકાર હોવાથી ધર્માચાર્ય વગેરે જ ગુરુરૂપે રજુ કરાયા છે. ઉ. પ્રવચનકુશલ : છ ગુણો જેનામાં હોય તે પ્રવચનકુશલ છે. ૧. સૂત્રકુશલ - શ્રાવક અવસ્થાને યોગ્ય સૂત્રના વિષયમાં કુશળતાને પામેલો. શ્રાવક યોગ્ય સૂત્રોને ભણે. ૨. અર્થકુશલ - તે સૂત્રોથી સૂચિત થતો અર્થ સંવિગ્ન ગીતાર્થ પાસે સાંભળીને અર્થમાં કુશળતાને પામેલો. ૩. ઉત્સર્ગકુશલ - સામાન્ય ધર્મ નિયમોની બાબતમાં કુશળતાને પામેલો. ૪. અપવાદકુશલ - વિશેષ ધર્મ નિયમોની બાબતમાં કુશળતાને પામેલો. કેવળ ઉત્સર્ગનું જ આલંબન ન લે અને કેવળ અપવાદનું જ આલંબન પણ ન લે, પરંતુ યથાયોગ્ય બંનેનું આલંબન લે,
SR No.005838
Book TitleSutra Samvedana Part 04
Original Sutra AuthorN/A
AuthorPrashamitashreeji
PublisherSanmarg Prakashan
Publication Year2006
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy