________________
૨૨૬
સૂત્રસંવેદના-૪
૨. અવંચિકા કિયા - મન-વચન-કાયાથી અન્યને ન ઠગે. ૩. અપાયકથક - અશુદ્ધ વ્યવહાર કરનારને ભાવિમાં જે અપાયો પ્રાપ્ત થાય.
તે કહી બતાવે. એ માટે - “હે ભદ્ર ! ચોરી વગેરે પાપ ન કરો ! આ પાપો, આ લોકમાં અને
પરલોકમાં અનર્થ કરનારાં છે' - એમ હિતશિક્ષા આપે. ૪. મૈત્રીભાવ - સદ્દભાવથી નિષ્કપટ મૈત્રીવાળો બને. ૫. ગુરુશુશ્રુષા (સેવા) કારી :
નીચે મુજબના ચાર ગુણ જેનામાં હોય તે ગુરુ સેવાકારી છે. ' ૧. સેવા - ગુર્નાદિકની સેવા-પર્યુપાસના કરે. ૨. કારણ - ગુરુની પ્રશંસા આદિ કરે. તેથી બીજા લોકોને પણ ગુરુની
સેવામાં જોડે. ૩. સંપાદન - ગુરુને જરૂરી ઔષધાદિ દ્રવ્યો મેળવી આપે. ૪. ભાવ - ગુરુજનના ચિત્ત (ઇચ્છા)ને અનુસરે.
આ ચાર પ્રકારે આરાધ્ય એવા ગુરુવર્ગની શુશ્રુષા કરનારો ગુરુશ્રુષાકારી બને છે.
જોકે માતા, પિતા, કલાચાર્ય વગેરે પણ ગુરુ કહેવાય છે. છતાં અહીં ધર્મનો અધિકાર હોવાથી ધર્માચાર્ય વગેરે જ ગુરુરૂપે રજુ કરાયા છે. ઉ. પ્રવચનકુશલ :
છ ગુણો જેનામાં હોય તે પ્રવચનકુશલ છે. ૧. સૂત્રકુશલ - શ્રાવક અવસ્થાને યોગ્ય સૂત્રના વિષયમાં કુશળતાને પામેલો.
શ્રાવક યોગ્ય સૂત્રોને ભણે. ૨. અર્થકુશલ - તે સૂત્રોથી સૂચિત થતો અર્થ સંવિગ્ન ગીતાર્થ પાસે સાંભળીને
અર્થમાં કુશળતાને પામેલો. ૩. ઉત્સર્ગકુશલ - સામાન્ય ધર્મ નિયમોની બાબતમાં કુશળતાને પામેલો. ૪. અપવાદકુશલ - વિશેષ ધર્મ નિયમોની બાબતમાં કુશળતાને પામેલો.
કેવળ ઉત્સર્ગનું જ આલંબન ન લે અને કેવળ અપવાદનું જ આલંબન પણ ન લે, પરંતુ યથાયોગ્ય બંનેનું આલંબન લે,