________________
સૂત્રસંવેદના-૪
ચાર કષાય, ત્રણ દંડ, ત્રણ ગુપ્તિ, પાંચ સમિતિ - એ સર્વના વિષયમાં જે અતિચાર લાગ્યો હોય તે સર્વની નિંદારૂપ હું પ્રતિક્રમણ કરું છું.
વિશેષાર્થ :
૨૧૨
વંતા - દેવવંદન, ગુરુવંદન.
ગુણેચ્છુ શ્રાવકે અનંત ગુણના સાગર અરિહંત-પરમાત્માનું ત્રિસંધ્યાએ દર્શન, વંદન અને પૂજન કરવું, તથા સંયમાદિ ગુણોના સ્વામી શ્રમણ-ભગવંતોનું ઉભય ટંક વંદન, દર્શન, શુશ્રુષાદિ કરવાં, તેવો નિયમ કરવો જોઈએ. આ પ્રકારે નિયમ ક૨વામાં આવે તો જ પોતાના દોષોને દૂર કરી તે સમતાદિ ગુણોને પ્રાપ્ત કરી શકે છે.
પ્રમાંદ આદિ દોષોને કારણે શ્રાવક આ પ્રકારનો નિયમ ન કરે, નિયમ કરે પણ તેનું યથાયોગ્ય પાલન ન કરે, બાહ્ય રીતે સુંદર પાલન કરે પણ પ્રભુ દર્શનાદિ ક્રિયા દ્વારા આત્માના ગુણોનું દર્શન કરી, તે ગુણોને પોતાનામાં પ્રગટાવવા પ્રયત્ન ન કરે, તો શ્રાવક માટે દોષરૂપ છે. દિવસ દરમ્યાન થયેલા આવા દોષોને યાદ કરી તેની નિંદા આ પદ દ્વારા કરવાની છે.
વૈય - સમ્યક્ત્વ મૂળ બાર વ્રત તથા નાના મોટા અન્ય નિયમો.
આત્મકલ્યાણના અભિલાષી શ્રાવકે શક્તિ અનુસાર વ્રત-નિયમોનો સ્વીકાર ક૨વો જોઈએ. એક ક્ષણ પણ વિરતિ વિના ન રહેવું જોઈએ; પરંતુ પ્રમાદાદિ દોષોને કારણે વ્રત-નિયમનો સ્વીકાર ન કર્યો હોય કે સ્વીકારીને યથાયોગ્ય તેનું પાલન ન કર્યું હોય તો તે તે વ્રતવિષયક અતિચાર છે.
सिक्खा ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષા.
વિનયપૂર્વક ગુરુભગવંત પાસેથી સૂત્ર તથા અર્થનું જ્ઞાન મેળવવું તે ગ્રહણશિક્ષા છે, અને મેળવેલ સૂત્ર તથા અર્થના theoratical જ્ઞાનને જીવનમાં કેવી રીતે ઉતારવું તેનું practical -આચારાત્મક જ્ઞાન મેળવવું અર્થાત્ સાધુએ સાધુની સામાચા૨ીનું અને શ્રાવકે શ્રાવકની સમાચારીનું શાસ્ત્રાનુસારી પાલન કેવી રીતે કરવું, તેની શિક્ષા મેળવવી, તે આસેવનશિક્ષા છે. આ બન્ને પ્રકારની શિક્ષા શક્તિ અનુસાર ન મેળવી હોય, અથવા અવિધિથી મેળવી હોય, મેળવ્યા પછી તેનું પાલન જે રીતે કરવું જોઈએ તે રીતે ન કર્યું હોય, તો તે અતિચાર છે.
1. ग्रहणशिक्षा सामायिकादिसूत्रार्थग्रहणरूपा, आसेवनशिक्षा पुनः नमस्कारेण विबोध इत्यादिदिनकृत्यलक्षणा । - અર્થદીપિકા