SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્રસંવેદના-૪ આ વાત સત્ય હોવા છતાં પણ રોજ પ્રતિક્રમણ કરનાર વર્ગમાં પણ આવું દેખાતું નથી; તેનું કારણ એ છે કે આજે પ્રતિક્રમણ કરનારો વર્ગ છે, પરંતુ પ્રતિક્રમણના પરમાર્થને સમજીને ભાવપૂર્વક પ્રતિક્રમણ કરનાર વર્ગ અતિઅલ્પ છે. દોષોને દૂર કરી ગુણોને પ્રાપ્ત કરવા જેણે પ્રતિક્રમણ કરવું હોય તેણે આ ક્રિયા કઈ મુદ્રામાં બેસીને કરવી, તેમાં આવતાં સૂત્રોનું ઉચ્ચારણ કઈ રીતે કરવું, તથા સૂત્રના ભાવોને કઈ રીતે સ્પર્શવા અને ભાવો દ્વારા દોષોનો નાશ કરી ગુણોને કઈ રીતે પ્રગટાવવા તે ખાસ સમજવું જોઈએ. આ સર્વ વિગતોને સમજીને જો આ ક્રિયા કરવામાં આવે, તો આ ક્રિયા ભાવસભર બને છે, અને ભાવપૂર્વક કરાયેલી આ ક્રિયા સર્વ પાપકર્મો અને પાપની વૃત્તિઓનો નાશ કરી આત્માને શુદ્ધ બનાવી શકે છે. માનવશરીરમાં જેટલું મહત્ત્વ હૃદયનું છે, તેટલું મહત્ત્વ ક્રિયામાં ભાવનું છે. ભાવ વિનાની ક્રિયા નિષ્પ્રાણ કલેવર જેવી બની જાય છે. આથી જ પ્રતિક્રમણની ક્રિયાને ભાવસભર બનાવવા માટે સૌ પ્રથમ પ્રતિક્રમણ શું છે ? તેના અધિકારી કોણ છે ? વગેરે વિગો વિચારીએ. પ્રતિક્રમણ એટલે શું ? “પ્રતિ” એટલું પાછું અને “ક્રમણ” એટલે વળવું. પાછા ફરવાની ક્રિયાને પ્રતિક્રમણ કહેવાય છે. પાછા ફરવાની ક્રિયા ઘણા પ્રકારની હોય છે, પરંતુ પ્રસ્તુતમાં પ્રમાદાદિ દોષોને કારણે હિંસા, અસત્ય, ચોરી આદિ પાપસ્થાન તરફ ઢળેલા આત્માને તે માર્ગેથી પાછો વાળી, જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ પોતાના મૂળ સ્થાનમાં લાવવાની ક્રિયાને પ્રતિક્રમણ' કહેવાય છે; અથવા વિષય-કષાયને આધીન બની પોતાની વ્રત-નિયમની મર્યાદા ચૂકી જવી, કે પોતાની ભૂમિકાને ભૂલી જઈ જે આચરણ કરવું, તે અતિક્રમણ છે. આ અતિક્રમણથી પાછા વળવું તે પ્રતિક્રમણ છે; અથવા પાપકાર્યોની નિંદા, ગહ અને આલોચના કરીને નિઃશલ્ય થયેલા આત્માને મોક્ષફળ પ્રાપ્ત કરાવનાર શુભયોગોમાં પુનઃપુનઃ પ્રવર્તાવવો તેનું નામ પ્રતિક્રમણ છે. ટૂંકમાં આત્માને પોતાના સુવિશુદ્ધ ભાવમાં લાવવાની પ્રવૃત્તિ તે પ્રતિક્રમણ છે. 1. स्वस्थानाद यत् परस्थानं प्रमादस्य वशाद्गतः તન્નેવ માં મૂવ: પ્રતિમાનુષ્યતે ।।-આવશ્યક નિર્યુક્તિ હારિભદ્રીય ટીકા ગા.૧૨૩૦/૩૧ 2. प्रति प्रति वर्तनं वा शुभेषु योगेषु मोक्षफलेषु । નિઃશસ્વસ્થ યતેર્વત્ તદ્દા સેવં પ્રતિમમ્ ।।-આવશ્યક નિર્યુક્તિ હારિભદ્રીય ટીકા ગા.૧૨૩૦/૩૧
SR No.005838
Book TitleSutra Samvedana Part 04
Original Sutra AuthorN/A
AuthorPrashamitashreeji
PublisherSanmarg Prakashan
Publication Year2006
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy