________________
સંખના વ્રત
૨૦૫
છે. આ કારણે સાધક પહેલેથી સાવધ બની જાય છે. તે પ્રભુને પ્રાર્થના કરતાં કહે છે કે “હે પ્રભુ ! આ જીવનમાં તો આવા દોષોનું સેવન ન જ થાઓ, પરંતુ મરણાંત સમયે પણ આવા અતિચારોનું આસેવન મારાથી ન થાઓ !” જિજ્ઞાસા : અનશનવ્રત વર્તમાનમાં સ્વીકારાય કે નહિ ?
તૃપ્તિ : વિશિષ્ટ જ્ઞાનીના અભાવને કારણે હાલમાં એક એક ઉપવાસના પચ્ચખ્ખાણપૂર્વક સાધક આગળ વધી શકે છે, પરંતુ, દીર્ઘકાળ માટેનું (આજીવન) અનશન સ્વીકારી શકાતું નથી; તો પણ અલ્પ સમય માટે આ વ્રત સ્વીકારવામાં વાંધો જણાતો નથી. જીવન-દીપ બુઝાવાનો સમય જ્યારે નજીક આવતો જણાય, ત્યારે આત્મ-હિતેચ્છુ સાધક આમરણ ચારે આહારનો ત્યાગ કરી, પોતાની શય્યા સિવાય કાયાના વ્યાપારને ત્યજી, મૌન ધારણ કરી, મનને પરમાત્મધ્યાનમાં લીન કરી, અમુક છૂટ (આગાર) રાખી, સાગારિક અનશન સ્વીકારી શકે છે. ઉત્તરાધ્યયન સૂત્રનો આ પાઠ જોતાં પણ લાગે છે કે શ્રાવક કે શ્રમણો વર્તમાનમાં આ સાગારિક અનશન સ્વીકારી શકે છે, છતાં આ અંગે બહુશ્રુતો વિચારે. સંલેખના વ્રતસંબંધી સંભવિત અતિચારો આ પ્રમાણે છે -
છો - આ લોક વિષે. ઈહલોક-આશંસા-પ્રયોગ : આ લોક સંબંધી ઈચ્છાનો વ્યાપાર.
આ લોકનો અર્થ છે મનુષ્યલોક. “આ તપના પ્રભાવથી મરીને મનુષ્યજીવનમાં હું ચક્રવર્તી, રાજા કે શ્રેષ્ઠી આદિ થાઉં' – આવી ઈચ્છા રાખવી, અથવા આ તપના પ્રભાવથી મને માન સન્માન મળે, મારો સત્કાર થાય, મારી સેવા-ભક્તિ સારી થાય તેવી ઈચ્છા તે “ઈહલોક-આશંસા-પ્રયોગ” નામનો પ્રથમ અતિચાર છે. પરોણ - પરલોક વિશે. પરલોક – આશંસા – પ્રયોગ : પરલોક સંબંધી ઈચ્છાનો વ્યાપાર. પરલોકનો અર્થ છે મનુષ્ય સિવાયનો લોક. આ તપના પ્રભાવથી મરીને હું દેવ
2. "सव्वावि अ अजाओ, सव्वेवि अ पढमसंघयणवजा । सव्वेवि देसविरया, पच्चखाणेण उ
मरंति ।।" अत्र हि प्रत्याख्यानशब्देन भक्तपरिजैव ज्ञेया ।। - ઉત્તરાધ્યયન અ. . અર્થ - પ્રથમ સંઘયણ સિવાયની સર્વે પણ આર્યાઓ તથા દેશવિરતિધર પચ્ચખ્ખાણથી મરે છે. પદ્માણનો અર્થ અહીં ભક્ત પરિણા નામનું અનશન છે.