________________
સૂત્રસંવેદના-૪
ગ્રહણ કર્યો છે.) ; આ પાંચ અતિચારો મને મરણાંતે પણ ન થાઓ.
વિશેષાર્થ :
૨૦૪
સંલેખનાનો સામાન્ય અર્થ અનશન છે. વિશેષથી વિચારીએ તો અંદરમાં પડેલા મોહ અને મમત્વના ભાવોને ખોતરી ખોતરીને કાઢવાની એક વિશિષ્ટ પ્રક્રિયાને અર્થાત્ વિષયો અને કષાયોને પાતળા પાડવાની ક્રિયાને સંલેખના કહેવાય છે. જન્મથી જેનો સહવાસ છે તેવા શરીરનું મમત્વ મરણની વેદના સમયે સમાધિને ખંડિત કરે છે. પ્રયત્નથી પ્રાપ્ત કરેલ ધનસંપત્તિ કે પરિવાર આદિને મૂકીને જવાની ક્ષણો જ્યારે નજ૨ સમક્ષ દેખાય છે, ત્યારે માનવી અકળાઈ જાય છે, વિવેક ચૂકી જાય છે. મનને આત્મભાવ કે પરમાત્મ ભાવમાં સ્થિર કરવાને બદલે અન્ય ચિંતાથી મનને ચંચળ કરે છે. આ કારણે માનવીનું મરણ સમાધિમય બની શકતું નથી.
સમાધિમરણ દ્વારા ભવની પરંપરાને ઉત્તરોત્તર ઊજળી બનાવી મોક્ષના મહાઆનંદ સુધી જેને પહોંચવું છે તેવો સાધક, મરણ સમય નજીક આવતાં સાવધ બની જાય છે. તપ દ્વારા શરીરના મમત્વને તોડવા પ્રયત્ન કરે છે, શ્રુત (સ્વાધ્યાય) દ્વારા પોતાના મનને તમામ પ્રકારના બાહ્ય ભાવોથી ૫૨ કરી આત્મભાવમાં સ્થિર કરવા યત્ન કરે છે, અને શીલ દ્વારા અનેક પ્રકારની ચેષ્ટાઓનો ત્યાગ કરી કાયાને કોઈ ચોક્કસ આસનમાં સ્થિર કરવા યત્ન કરે છે. આ રીતે શ્રુત, શીલ અને તપાદિ દ્વારા પોતાની શક્તિનો નિર્ણય કરી અંત સમય નજીક આવતાં ચારે અથવા ત્રણેય પ્રકારના આહારનો ત્યાગ કરી, કાયાને સ્થિર કરી, મનને આત્મભાવમાં સ્થાપન કરવાનો જે પ્રયત્ન કરાય છે, તેને અનશન કે સંલેખનાવ્રત કહેવાય છે.
આ વ્રતનો સ્વીકાર કર્યા પછી તેના નિરતિચાર પાલનથી આત્માની વિશિષ્ટ શક્તિઓ પ્રગટે છે, અને સાથો સાથ પુણ્યપ્રભાવ પણ વધે છે. પુણ્યોદયના કારણે તેમની સેવા-શુશ્રુષા અને દર્શનાદિ માટે દેવ-દેવેન્દ્રો અને માનવો આવે છે. આવા સમયે જો મન ચલ-વિચલ થાય તો આ ગાથામાં બતાવેલ દોષોની સંભાવના રહે
1. સંલેખના = ધ્િ ધાતુ ખોતરવા કે કોતરવાના અર્થમાં છે. જે તપ-ક્રિયાદ્વારા કર્મો અને કષાયોને ખોતરી કઢાય છે, તેવી ક્રિયાને ‘સંલેખના’ કહેવામાં આવે છે. જૈન શાસ્ત્રો પ્રમાણે અર્થ કરીએ તો આયુષ્યના અંત સમયે શાસ્ત્રોક્ત વિધિ મુજબ ક૨વા યોગ્ય તપ.