SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ અગ્યારમું વ્રત આ પદ દ્વારા સૂત્રકારે ચાર અતિચારો જણાવ્યા છે. તેમાં ‘સંથારવિહિપમાય' આ પદથી બે.અતિચાર જણાવ્યા છે અને ‘ઉચ્ચારવિહિપમાય' દ્વારા બીજા બે અતિચારો બતાવ્યા છે. સંસ્થા(વિહિપમાય) - ૧૮૫ (૧) ‘અપ્રતિલેખિત-દુષ્પ્રતિલેખિત-શય્યા-સંસ્તારક' શય્યા અને સંસ્તારકની પ્રતિલેખના કરવી નહિ અથવા ગમે તેમ કરવી. (૨) ‘અપ્રમાર્જિત-દુષ્પ્રમાર્જિત-શય્યા-સંસ્તારક'શય્યા અને (સંથારા)ની પ્રમાર્જના કરવી નહિ અથવા જેમ તેમ કરવી. પૌષધવ્રતધારી શ્રાવક સૂવા માટે જેનો ઉપયોગ કરે છે તેને સંથારો કહેવાય છે. હાલમાં તે ઊનનો વપરાય છે. પૂર્વકાળમાં દર્ભ-ઘાસ અને પાટિયા આદિના પણ સંથારા રાખવામાં આવતા હતા. આ સંથારાનો ઉપયોગ કરતાં પહેલાં તેમાં કોઈ જીવ હોય તો તેને પીડા ન થાય તે માટે સંથારાને બરાબર જોવો તેને ‘પ્રતિલેખન’ કહેવાય છે, અને ત્યાર પછી હળવા હાથે રજોહરણ આદિથી તે જીવજંતુને દૂર કરવાની ક્રિયાને ‘પ્રમાર્જના' કહેવાય છે. સંથારાદિનો ઉપયોગ કરતાં પહેલાં પ્રતિલેખન અને પ્રમાર્જન બન્ને કરવાની શાસ્ત્રમર્યાદા છે; પરંતુ પ્રમાદથી કે કષાયના ઉદયથી પ્રતિલેખન અને પ્રમાર્જન યોગ્ય ન કર્યું હોય તો વ્રતમાં અતિચાર લાગે છે. = સંસ્તારક ગાથામાં માત્ર ‘સંથારો' શબ્દ મૂક્યો છે, પરંતુ તેના ઉપલક્ષણથી વસ્ત્ર, પાત્ર, વસતિ કે પુસ્તક આદિનો ઉપયોગ કરતાં પણ પ્રતિલેખન અને પ્રમાર્જન કરવું જરૂરી છે, તે ન કરે અથવા જેમ તેમ કરે તો દોષ લાગે છે. उच्चार विहिपमाय (૩) ‘અપ્રતિલેખિત-દુષ્પ્રતિલેખિત-ઉચ્ચાર-પ્રસવણ ભૂમિ.' વડીનીતિ અને લઘુનીતિ પરઠવવા માટેની જગ્યાનું પ્રતિલેખન કરવું નહિ, અથવા જેમ તેમ પ્રતિલેખન કરવું. (૪) ‘અપ્રમાર્જિત-દુષ્મમાર્જિત-ઉચ્ચાર-પ્રસવણ-ભૂમિ' વડીનીતિ અને લઘુનીતિ પરઠવવા માટેની જગ્યાનું પ્રમાર્જન કરવું નહિ, અથવા જેમ તેમ પ્રમાર્જન કરવું. ‘ઉજ્વાર' શબ્દ અહીં ઉચ્ચાર-પ્રસવણ-ભૂમિ માટે વપરાયેલો છે.
SR No.005838
Book TitleSutra Samvedana Part 04
Original Sutra AuthorN/A
AuthorPrashamitashreeji
PublisherSanmarg Prakashan
Publication Year2006
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy