________________
નવમું વ્રત
અવતરણિકા :
હવે નવમા સામાયિક વ્રતનું સ્વરૂપ તથા તેના પાલન દરમ્યાન લાગતા અતિચારો જણાવે છે
ગાથા :
तिविहे दुप्पणिहाणे, अणवट्ठाणे तहा सइ - विहूणे । सामाइय वितहक, पढमे सिक्खावए निंदे ।। २७ ।।
અન્વય સહિત સંસ્કૃત છાયા :
त्रिविधे दुष्प्रणिधाने, अनवस्थाने तथा सामायिके स्मृति - विहीने । પ્રથમ શિક્ષાવ્રતે વિતથ-કૃતે, નિામિ ।।૨૭।।
ગાથાર્થ :
મનનું દુષ્પ્રણિધાન, વચનનું દુષ્પ્રણિધાન, કાયાનું દુપ્રણિધાન, જેમ-તેમ સામાયિક કરવારૂપ અનવસ્થાન અને સામાયિકના વિષયમાં સ્મૃતિવિહીનતા - આ પાંચ અતિચારો વડે પ્રથમ શિક્ષાવ્રતરૂપ સામાયિક વ્રતમાં જે વિતથ કરાયું હોય તેને હું નિંદું છું.