________________
૧૬ર
સૂત્રસંવેદના-૪
રીતે શ્રાવક હિંસપ્રદાન સ્વરૂપ અનર્થદંડ વિરમણ વ્રતના અતિચારોનું પ્રતિક્રમણ કરે છે.
જિજ્ઞાસા ચપ્પ, છરી, ઘંટી વગેરે વસ્તુઓ ઘરવપરાશ માટે શ્રાવકને રાખવી જ પડે છે, તો પછી ઘરમાં રહેલી વસ્તુની કોઈ માંગણી કરે તો શ્રાવકે આપવી કે ન આપવી ?
તૃપ્તિ: ઘરવપરાશ માટે રાખવામાં આવેલી ઘંટી, ચપ્પ.વગેરે હિંસક સામગ્રી શ્રાવક સામેથી ન આપે, પરંતુ સામી વ્યક્તિ માંગે તો દાક્ષિણ્યતાથી આપવી પડે તો શ્રાવક ના પણ ન કહી શકે. તેથી જ વ્રત લેતાં તે તેટલી જ છુટ રાખે કે ક્યારેક દાક્ષિણ્યતાથી આપવી પડે તો છૂટ, બાકી નિયમ. આવી વસ્તુઓ આપવી પડે ત્યારે પણ જો સામી વ્યક્તિ સમજી શકે તેમ હોય તો ત્રસ આદિ જીવોની હિંસા ન થાય તે રીતે ઉપયોગ કરવા ભલામણ પણ કરે.
આ ગાથા બોલતાં શ્રાવક વિચારે કે, “હું સંસારમાં છું, માટે જ આવી હિંસક ચીજો મારે રાખવી પડે છે. સંયમ જીવન સ્વીકાર્યું હોત તો આમાંની એક પણ ચીજની મને જરૂરિયાત જ ન રહેત; તો પણ શક્ય પ્રયત્ન આવી ચીજો ઘટાડું અને રાખવી પડે તો પણ અન્યને સારું લગાડવા તો ન જ આપું. ક્યારેક દાક્ષિણ્યતા આદિથી આવી હિંસક ચીજો કોઈને આપી હોય કે અપાવી હોય તે સર્વ પાપોને સ્મૃતિમાં લાવી તેની નિંદા કરું છું. અને તે પાપથી પાછો વળી નિષ્પાપભાવમાં સ્થિર થવા યત્ન કરું છું.” અવતરણિકા :
હવે અનર્થદંડના ચોથા પ્રકારરૂપ પ્રમાદાચરણના વિષયમાં જે દોષનું સેવન થયું હોય તેનું પ્રતિક્રમણ કરતાં જણાવે છે
ગાથા :
બ્રાઈવ-વન્ન-વિત્રેવ સદરૂવ-રસ- I वत्थासण-आभरणे, पडिक्कमे देसि सव्वं ।।२५।। અન્વય સહિત સંસ્કૃત છાયા :
નાન-સર્વર્તન-વ-વિષને શબ્દ-પ-રસ-ળે છે . વસ્ત્ર-શાસન-સામરો, ફેવસિ સર્વ પ્રતિક્રમામિ ારા