SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ સાતમું વ્રત ૧૪૭ અવતરિણકા: - સામાન્યથી ભોગ-ઉપભોગ પરિમાણમાં થયેલા દોષોની નિંદા કરી. હવે સચિત્તના ત્યાગી શ્રાવકને તે વિષયમાં થતા અતિચારો જણાવે છે. તેના દ્વારા ત્યાગ કરેલ અન્ય વસ્તુ વિષયક અતિચારો પણ યથાસંભવ વિચારી લેવા. ગાથા : सच्चित्ते पडिबद्धे, अपोल-दुप्पोलियं च आहारे । तुच्छोसहि-भक्खणया, पडिक्कमे देसि सव्वं ।।२१।। અન્વયે સહિત સંસ્કૃત છાયા ? ___ सचित्ते प्रतिबद्धे, अप्रज्वलित-दुष्प्रज्वलित आहारे । - તુ-ગોધ-પક્ષI, ફેવસિ સર્વ પ્રતિમા પાર ગાથાર્થ: સચિત્ત આહાર, સચિત્ત પ્રતિબદ્ધ આહાર, અપક્વાહાર, દુષ્પક્વાહાર”, તુચ્છ ઔષધિ ભક્ષણ આ પાંચ અતિચારમાંથી જે કોઈ પણ અતિચાર દિવસ દરમ્યાન લાગ્યો હોય તે સર્વનું હું પ્રતિક્રમણ કરું છું. ' વિશેષાર્થ: સવ - સચિત્ત આહાર વાપરવો. - સચિત્ત આહારનો ત્યાગ કર્યા પછી કે તેનું પ્રમાણ નિયત કર્યા પછી અજાણપણે કે ઉતાવળથી સંચિત્તનો ઉપયોગ કર્યો હોય અથવા પ્રમાણથી અધિક લેવાઈ ગયું હોય તો તે પ્રથમ અતિચાર છે. (વિ)પડવળે - સચિત્ત સાથે સંકળાયેલી અચિત્ત વસ્તુ વાપરવી. જેમ કે પાકા ફળનો ગર્ભભાગ અચિત્ત છે તેમ માની, તેનું બીજ કાઢી તરત જ નગર વાપરવો. આમાં સચિત્ત વાપરવાની ઈચ્છા નથી, પરંતુ માન્યતા એવી છે કે ગર તો સચિત્ત નથી માટે ચાલે, આવું માની વાપરવાથી બીજો અતિચાર લાગે છે; પરંતુ સચિત્ત છે. તે ખબર હોવા છતાં વાપરે તો વ્રતભંગ થયો ગણાય.
SR No.005838
Book TitleSutra Samvedana Part 04
Original Sutra AuthorN/A
AuthorPrashamitashreeji
PublisherSanmarg Prakashan
Publication Year2006
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy