SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ સૂત્રસંવેદના-૪ ચિત્તવૃત્તિનું ઘડતર : વિષયો તરફની ગાંડી દોટને અટકાવવા શ્રાવકે નિત્ય નીચેની વિગતો વિચારી હૃદયને વૈરાગી બનાવવા યત્ન કરવો. પૂર્વોક્ત ભોગ-ઉપભોગની અનર્થકારિતાને વારંવાર વાંચી, ચિંતન કરવું. આપણો સ્વભાવ જ્ઞાનાદિ ગુણોને ભોગવવાનો છે, જડ વસ્તુને ભોગવવાનો નથી. જડ વસ્તુનો ભોગ તો શરીર અને ઇન્દ્રિયોના પનારે પડ્યા હોવાથી કરવો પડે છે. ♦ વિષયોની આસક્તિને કારણે આપણે દરેક પ્રકારનાં પાપો કરવાં પડે છે. વિષયોની આસક્તિને કારણે સ્નેહી સ્વજનોની સાથે ક્લેશ થાય છે. વિષયોની આસક્તિ કષાયોનું ઉદ્ગમ સ્થાન છે. ♦ ગમતા વિષયો ન મળતાં ક્રોધ આવે છે. • ગમતા વિષયો પ્રાપ્ત થતાં, ‘બીજા કરતાં હું કાંઈક વિશેષ છું’ - એવું માન થાય છે. ♦ ગમતા વિષયો મેળવવા અને જાળવવા માયા કરવી પડે છે. ♦ વિષયનું સુખ એકવાર પ્રાપ્ત થયા પછી બીજી વાર - ત્રીજી વાર પ્રાપ્ત કરવાની ઇચ્છાસ્વરૂપ લોભ સતત વઘ્યા કરે છે. ♦ગમતા વિષયો પ્રાપ્ત થતાં રાગ વધુ દૃઢ બને છે તેનાથી ચીકણાં કર્મ બંધાય છે. ♦ વિષયોનું સુખ ઝેર મેળવેલા સ્વાદિષ્ટ ભોજન જેવું છે. તે દેખાવમાં તો અત્યંત રમણીય લાગે પણ પરિણામે મારનારું છે. + વિષ તો દ્રવ્યપ્રાણોનો નાશ કરી એક ભવ બગાડે છે, જ્યારે વિષયો તો ભાવપ્રાણનો નાશ કરી ભવોભવ મારવાનું કામ કરે છે. ♦ વિષ તો જીભની સાથે સ્પર્શ થયા પછી મારે છે, જ્યારે વિષયોનો તો વિચાર માત્ર મારે છે. વિષય-કષાયને ઓળખી તેમાં વૈરાગ્યભાવને કેળવવા દરેક શ્રાવકે ઇન્દ્રિયપરાજયશતક, વૈરાગ્યશતક, જ્ઞાનસાર, યોગશાસ્ત્ર-ચોથો પ્રકાશ, અધ્યાત્મ કલ્પદ્રુમ, શાન્ત સુધારસ જેવા ગ્રન્થોનું શ્રવણ, મનન, ચિંતન સતત ક૨વું જોઈએ. તે દ્વારા મનને એવું તૈયાર કરવું જોઈએ કે મન વૈપિયકભાવોથી પર થઈ આધ્યાત્મિક ભાવોમાં વિચરણ કરે, અને ત્યાં જ લીન રહે.
SR No.005838
Book TitleSutra Samvedana Part 04
Original Sutra AuthorN/A
AuthorPrashamitashreeji
PublisherSanmarg Prakashan
Publication Year2006
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy