SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્રસંવેદના-૪ હવે ભોગ-ઉપભોગની કઈ સામગ્રીમાં શ્રાવક નિયમ કરે છે તે જણાવી તેમાં થયેલા દોષોની આ ગાથા દ્વારા નિંદા કરે છે ૧૪૨ મન્નમિ ૨ મંમ્નિ જ્ઞ - મદિરા, માંસ અને ‘’ શબ્દથી મધ, માખણ આદિ સર્વ અભક્ષ્ય અને અનંતકાય વસ્તુઓ. મમ્મિ જ્ઞ - મદિરા આદિ નશાકારક વસ્તુઓના વિષયમાં. જેનાથી નશો ચડે, જેના સેવનથી મનુષ્ય પોતાની જાત પરનું નિયંત્રણ ખોઈ બેસે તે દ્રવ્યને મદિરા કહેવાય છે. પૂર્વકાળમાં તો મુખ્યત્વે કાષ્ઠ અને પિષ્ટ (લોટ) એમ બે પ્રકારની મદિરા બનતી હતી. આજે તો અનેક દ્રવ્યોમાંથી બનેલી અનેક પ્રકારની મદિરા મળે છે. આવી મિંદરાઓના સેવનથી જીવ પોતાની સંતુલના ગુમાવી બેસે છે, જેના કારણે તેનામાં મહામોહ, ક્લેશ, નિદ્રા, રોષ ઉત્પન્ન થાય છે. ઠેર ઠેર તે મશ્કરીનું પાત્ર બને છે, અનેક પ્રકારના કામવિકારનો પણ તે ભોગ બને છે. પરિણામે તેની લજ્જા, લક્ષ્મી, બુદ્ધિ અને ધર્મનો નાશ થાય છે, અને તેને ભવાંત૨માં પણ દુર્ગતિમાં જવું પડે છે. વળી મદિરા-માંસ-મધ અને માખણમાં તે જ રંગના જીવો સતત પેદા થાય છે. આ સર્વ દૂષણોનો વિચાર કરી શ્રાવકે મદિરામાંસાદિનો સદંતર ત્યાગ કરવો જોઈએ. અહીં ખાસ ધ્યાનમાં રાખવું કે શાસ્ત્રકારોએ મધ અને માખણને પણ મદિરા અને માંસની જેમ જ હિંસક મહા વિગઈઓ કહી છે. માટે શ્રાવકે તેનો પણ ત્યાગ કરવો જોઈએ. મંસમ્મિ ઞ - માંસ પ્રસિદ્ધ છે. જળચર, સ્થલચર અને ખેચરના જીવોના ભેદથી તેમનું માંસ પણ ત્રણ પ્રકારનું હોય છે. કાચા, ગંધાતા કે ગંધાઈ ગયેલા માંસની પેશીઓમાં નિરંત૨૫ણે નિગોદના જીવોની ઉત્પત્તિ થાય છે. નિર્દોષ, નિરપરાધી જીવોને મારીને માંસનું ભક્ષણ કરનારા જીવો નરકગામી બને છે. માંસભક્ષણનો નિષેધ જૈન-જૈનેતર શાસ્ત્રોમાં ઠેરઠેર જોવા મળે છે. આ જ કારણથી શ્રાવક માંસભક્ષણનો ત્યાગ કરે છે. માંસભક્ષણનો ત્યાગ કર્યા પછી શ્રાવક સતત નિયમપાલનમાં સાવધાન હોય (૧૯) રીંગણાં (Brinjal) કામવૃત્તિ-પોષક અને બહુ નિદ્રા લાવનાર છે તથા બહુબીજ છે. (૨૦) અજાણ્યાં ફળ-ફૂલ (Unknown fruits ) પ્રાણહાનિ તથા રોગોત્પત્તિનો સંભવ છે. ખાવાનું થોડું અને ફેંકી દેવાનું વધારે છે. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ ફરી જાય છે. (૨૧) તુચ્છ ફળ (૨૨) ચલિત ૨સ
SR No.005838
Book TitleSutra Samvedana Part 04
Original Sutra AuthorN/A
AuthorPrashamitashreeji
PublisherSanmarg Prakashan
Publication Year2006
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy