SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ સૂત્રસંવેદના-૪ વળી, જડ પદાર્થોનો ભોગ મોટેભાગે કોઈ જીવના સુખના ભોગે જ થઈ શકતો હોય છે. કોઈપણ ભોગ્ય પદાર્થ પ્રાપ્ત કરવા પૃથ્વી, પાણી, અગ્નિ, વનસ્પતિ આદિ સંખ્યાત, અસંખ્યાત યાવતું અનંત જીવોનો સંહાર કરવો પડે છે. રાગાદિ વિકૃત ભાવ વિના આવા સુખને ભોગવવાની ઇચ્છા થતી નથી, અને તેને ભોગવતાં રાગાદિ ભાવોની વૃદ્ધિ થયા વિના રહેતી નથી. માટે આ ભોગ દ્રવ્યહિંસા અને ભાવહિંસા બંનેનું કારણ બને છે. " વળી, આ ભોગ્ય પદાર્થો અલ્પકાળ માટે ભ્રામક, કાલ્પનિક સુખ આપી, ક્લિષ્ટ કર્મ બંધાવી, ભવિષ્યમાં દુર્ગતિનું સર્જન કરી, આત્માને ચિરકાળના વાસ્તવિક સુખથી દૂર કરે છે. વર્તમાનમાં પણ ભોગથી શ્રમ, ચિત્તા, વિહ્વળતા આદિ અનેક પ્રકારનાં દુઃખોની સંભાવના રહે છે. ટૂંકમાં કહીએ તો વિષયોના ભોગથી પ્રાપ્ત થતું. સુખ પરાધીન, પાધિક, અલ્પકાલીન, અપૂર્ણ, દુઃખમિશ્રિત, દુ:ખમય, દુઃખમાં પરિણામ પામનારું, દુઃખની પરંપરા ચલાવનારું અને દુર્ગતિના બીજરૂપ છે. ' ભૌતિક સુખની આવી દુઃખકારિતાનું ભાન હોવા છતાં પણ અવિરતિના ઉદયને કારણે શ્રાવક, સાધુની જેમ સર્વથા બાહ્ય ભોગથી મુક્ત રહી શકતો નથી. જિજ્ઞાસા શ્રમણભગવંતો પણ આહાર-વસ્ત્રાદિનો ભોગ તો કરે છે, તો તેઓ અભોગી કઈ રીતે કહેવાય ? તૃપ્તિ સંયમી આત્માઓ પણ જ્યાં સુધી શરીર અને ઇન્દ્રિયો સાથે સંકળાયેલા છે, ત્યાં સુધી તેમને પણ આહાર, વસ્ત્ર, પાત્ર આદિ બાહ્ય ચીજોની જરૂર પડે છે. તેનો ઉપભોગ તેમને પણ કરવો પડે છે, ત્યારે તેમની ઇન્દ્રિયો પણ આહારાદિ જડ પદાર્થોના સંપર્કમાં તો આવે છે, પણ તે વખતે મૃતથી ભાવિત થયેલા શ્રમણ-ભગવંતો ભગવાનનાં વચનોનું આલંબન લઈ અત્યંત સાવધાન બની જાય છે. ઇષ્ટ કે અનિષ્ટ આહારાદિની પ્રાપ્તિમાં પણ ક્યાંય રાગ-દ્વેષ કે સારા-ખોટાનો ભાવ થવા દેતા નથી. વળી, સંયમની સાધના માટે જરૂરી હોય તેટલાં વસ્ત્રો આદિ પણ શાસ્ત્રાનુસારી વિધિથી ગ્રહણ કરે છે. ગ્રહણ કર્યા પછી તેનો વપરાશ પણ કોઈ જીવને પીડા ન થાય તે રીતે કરે છે. વાપરતાં તેમનું લક્ષ્ય તેના દ્વારા સંયમની સાધનાનું રહે છે પણ ઇન્દ્રિયના આનંદનું નહિ. વસ્ત્રાદિ સર્વ ચીજોનો ઉપયોગ પણ આ રીતે સંયમસાધના માટે જ કરતા હોવાથી, તેમની આ પ્રવૃત્તિ ભોગરૂપ બનતી નથી. આ કારણથી તેઓ આહાર આદિ લેવા છતાં પણ અભાગી-ઉપવાસી કહેવાય છે. જિજ્ઞાસા : વિષયોના ભોગને નહીં ભોગવતાં મહાત્માઓના સાચા આનંદનો-સુખનો વિષય શું છે?
SR No.005838
Book TitleSutra Samvedana Part 04
Original Sutra AuthorN/A
AuthorPrashamitashreeji
PublisherSanmarg Prakashan
Publication Year2006
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy