________________
પાચમું વ્રત
૧૨૯
તો મર્યાદાનું ઉલ્લંઘન થવાને કારણે વ્રતભંગ જ છે, પરંતુ જ્યાં વ્રતરક્ષણનો થોડો પણ પરિણામ હોય ત્યાં અતિચાર છે.
સુપડપ્રખિ ૨ - દ્વિપદ અને ચતુષ્પદના પ્રમાણનું અતિક્રમ કરવું. દ્વિપદ એટલે સ્ત્રી, દાસ, દાસી વગેરે અને ચતુષ્પદ એટલે ગાય, ભેંસ આદિ. આ બંનેનું પ્રમાણ નક્કી કર્યા પછી તેના પ્રમાણનું ઉલ્લંઘન કરવું તે પાંચમો અતિચાર છે.
દિલને સિલ્વ - દિવસ દરમ્યાન પાંચમા વ્રત સંબંધી કોઈ પણ અતિચારનું સેવન થયું હોય તો તે સર્વનું હું પ્રતિક્રમણ કરું છું.
નવે પ્રકારના પરિગ્રહમાં પ્રમાણ નક્કી કર્યા પછી, શ્રાવક જો સીધી રીતે વ્રતની મર્યાદા કરતાં વધારે ધનાદિ વધારે રાખે તો તો વ્રતભંગ છે, પણ વ્રતકાળ દરમ્યાન બીજાને નામે રાખે કે તેમાં વધારો-ઘટાડો કરે, જેમ કે બે ઘરનું એક ઘર કરી નાંખે, ભાંગીને નાના વાસણને મોટું બનાવી દે વગેરે કરે તો વ્રત સાચવવાની ભાવના હોઈ વ્રતભંગ નથી થતો, પરંતુ, વ્રતનું લક્ષ્ય મૂર્છા ઘટાડવી તે સચવાતું નથી, માટે વ્રતના માલિન્યરૂપ અતિચાર-દોષ તો થાય જ છે. આ સર્વ અતિચારોને યાદ કરી, તેનાથી પાછા વળી વ્રતમાં સ્થિર થવારૂપ પ્રતિક્રમણ આ પદો દ્વારા કરવાનું છે. આ બન્ને ગાથા બોલતાં શ્રાવક વિચારે કે
અપરિગ્રહતા એ આત્માનો સ્વભાવ છે. તેમાં જ સુખ છે, પરંતુ મારે શરીર, સ્વજન આદિનાં બંધનો છેઆ કારણે હું પરિગ્રહનો સંપૂર્ણ ત્યાગ કરવા શક્તિમાન નથી, આમ છતાં લોભનાં કારણે પ્રસાર પામતી મારી તૃષ્ણાની આગને અંકુશમાં રાખવા માટે જ મેં પરિગ્રહ પરિમાણ વ્રતનો સ્વીકાર કર્યો છે. આ વ્રતના પાલન દ્વારા હું સતત આસક્તિથી પર રહેવા યત્ન કરું છું, તો પણ વિષય અને કષાયની વૃતિને આધીન બની, ક્યારેક વ્રતને દૂષણ લાગે તે રીતે ધન-ધાન્યાદિના સંગ્રહની દુષ્ટ વૃત્તિઓ મારા મન ઉપર સવાર થઈ જાય છે. ક્યારેક વાણી અને કાયાથી પણ હતમાલિત્ય પેદા કરે તેવો વ્યવહાર થયો છે. તે સર્વ દોષોને યાદ કરી તેની નિંદા, ગહ અને આલોચના કરી તે પાપથી હું પાછો વળું છું.
પ્રાણાંતે પણ પરિગ્રહ પરિમાણના વતને પાળનારા પેથડશાહ, ધનશેઠ આદિ પૂર્વના મહાશ્રાવકોનાં ચરણોમાં મસ્તક મૂકી તેમને પ્રાર્થના કરું છું કે આપના જેવું નિરતિચાર વતપાલનનું સત્ય મારામાં પણ પ્રગટો જેથી હું સુવિશુદ્ધ રીતે વ્રતમાં સ્થિર થઈ શકું !”