________________
૧૨૮
સૂત્રસંવેદના-૪
વિશેષાર્થ :
નવ પ્રકારના પરિગ્રહના પરિમાણનો નિયમ કરીને તેમાં બંધન, જોડાણ, ભેટ કે ગર્ભાદિ દ્વારા પ્રમાણથી અધિક કરવાની ભાવના થાય તે અતિચાર છે. સામાન્યથી આ અતિચારો પાંચ પ્રકારના છે
धण - धन्न ધન-ધાન્યપ્રમાણાતિક્રમ.
ધન, ધાન્યના પ્રમાણનું અતિક્રમણ કરવું, એટલે કે પ્રમાણની મર્યાદાનું પાલન ન કરવું, તે પહેલો અતિચાર છે.
વિત્ત - વત્સૂ - ક્ષેત્ર-વાસ્તુપ્રમાણાતિક્રમ.
ક્ષેત્ર એટલે ખેતર, જમીન વગેરે અને વાસ્તુ એટલે ઘર, દુકાન, ઓફીસ, બંગલા વગેરે. આ સર્વનું પ્રમાણ નક્કી કર્યા પછી લોભાદિ કષાયને આધીન બની પોતાનાં પુત્ર-પુત્રી આદિને નામે કરી દેવાં, અથવા ઘર·કે ખેતરનું પ્રમાણ મોટું કરી દેવું, બે મકાનનું એક કરવું અને તેમ કરી વ્રતની મર્યાદાનું ઉલ્લંઘન કરવું; તે બીજો અતિચાર છે.
વ્ય-સુવને અ - રૂપ્ય-સુવર્ણપ્રમાણાતિક્રમ.
ચાંદી - સોનું રાખવાનું પ્રમાણ નિશ્ચિત કર્યા પછી, જો લાભ દેખાતાં વધુ સંગ્રહ કરવામાં આવે કે અન્ય કોઈના નામે ચઢાવી દેવામાં આવે કે અજાણપણે પણ પ્રમાણથી વધુ સંગ્રહ કરવામાં આવે તો તે ત્રીજો અતિચાર ગણાય છે.
ઝુવિઞપરિમાળે - કુષ્યપરિમાણાતિક્રમ.
કુષ્ય એટલે સોના-ચાંદી સિવાયની સર્વ ધાતુનાં વાસણ વગેરે, અને ઉપલક્ષણથી ઘ૨નું સર્વ રાચરચીલું. તેનો સંખ્યાથી જે નિયમ કર્યો હોય તે લહાણી આદિના કારણે ભંગ થતો હોય તો વાસણાદિને ભાંગી-ભંગાવી બેમાંથી એક બનાવડાવવું, કે ઘણી ચીજો ભાંગીને એક બનાવી સંખ્યા ન વધે એ રીતે નિયમ સાચવવાનો પ્રયત્ન કરવો તે ચોથો અતિચાર છે. અહીં પણ સમજી લેવું કે આમ 1 बन्धनाद्योजनाद्दानाद् गर्भतो भावतस्तथा
कृतेच्छापरिमाणस्य न्याय्याः पञ्चापि न ह्यमी ।। ४८ ।।
धर्मसंग्रह
2. ધન ચાર પ્રકારનાં હોય છે : (૧) ગણિમ - ગણી શકાય તેવી રોકડ રકમ, સોપારી વગેરે (૨) ધરિમ – તોલીને લેવાય તે ગોળ, સાકર વગેરે (૩) મેય – માપીને લેવાય તેવાં ઘી, કાપડ વગેરે અને (૪) - પારિચ્છેદ્ય - જે વસ્તુ કસીને, છેદીને લેવાય તેવાં રત્ન, સુવર્ણ વગેરે. ધાન્યના કલ્પસૂત્રની ટીકા વગેરે શાસ્ત્રોમાં ઘઉં, ચોખા, મગ, મઠ વગેરે ૨૪ પ્રકારો બતાવ્યા છે.