SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ પાચમું વ્રત ૧૨૭ વ્રત-પાલનનું ફળ : * પરિગ્રહપરિમાણ વ્રતથી આ ભવમાં સંતોષનું નિષ્કટક સુખ, લક્ષ્મીની સ્થિરતા (દરિદ્રતાનો અભાવ), લોકોમાં પ્રશંસા વગેરે અનેક ફળો મળવા ઉપરાંત પરલોકમાં ઉત્તમ ઋદ્ધિવંત મનુષ્યપણું કે શ્રેષ્ઠ દેવપણું અને પરંપરાએ સિદ્ધિગતિની પણ પ્રાપ્તિ થાય છે. એથી ઊલટું અતિલોભને વશ થઈ ઇચ્છાપરિમાણરૂપ આ વ્રતને નહિ સ્વીકારવાથી, કે સ્વીકારીને વિરાધના કરવાથી દરિદ્રતા, દુર્ભાગ્ય, દાસપણું, દુર્ગતિ વગેરે મહા કષ્ટો કેટલાય કાળ સુધી ભોગવવાં પડે છે. કહ્યું છે કે મહાઆરંભથી”, મહાપરિગ્રહથી, માંસાદિ આહારથી અને પંચેન્દ્રિય જીવોનો વધ કરવાથી જીવો નારકનું આયુષ્ય બાંધે છે. અવતરણિકા: આ ગાથામાં લોભને વશ થઈ પાંચમા વ્રતને દૂષિત કરે તેવી સંભવિત પ્રવૃત્તિઓને પાંચ અતિચારોથી જણાવે છેગાથા : - ઘન-ઘન-વિર-વધૂ, સM-સુવને 1 સુવિ-પરિમાને છે दुपए चउप्पयम्मि य, पडिक्क्रमे देसि सव्वं ।।१८।। અન્વય સહિત સંસ્કૃત છાયા : ઘર-ઘા -ક્ષેત્ર-વાસ્તુ-રૂણ-સુવ રથ-પરિમાને છે द्विपदे चतुष्पदे च देवसिकं सर्वं प्रतिक्रामामि ।।१८।। ગાથાર્થ - ધન, ધાન્ય, ક્ષેત્ર (ભૂમિ), વાસ્તુ (ઘર-ગામ વગેરે)”, રૂપું, સુવર્ણ, કુષ્ય કિસ વગેરે ધાતુઓ તથા ઘરવખરી કે અન્ય રાચ-રચીલું), દ્વિપદ (મનુષ્ય, પક્ષી વગેરે) અને ચતુષ્પદ (જાનવર), આમ નવ પ્રકારના બાહ્ય પરિગ્રહના કરેલા લરિમાણને વિષે દિવસ દરમ્યાન જે અતિચાર લાગ્યા હોય તે સર્વનું હું પ્રતિક્રમણ महारंभयाए महापरिग्गहयाए कुणिमाहारेणं " હાફિક નીવા રવાડ ગફત્તિ ..
SR No.005838
Book TitleSutra Samvedana Part 04
Original Sutra AuthorN/A
AuthorPrashamitashreeji
PublisherSanmarg Prakashan
Publication Year2006
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy