SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્રસંવેદના-૪ સંગ્રહ કરાયેલી વસ્તુ પ્રત્યેની મમતા વધતી જાય છે. તેને નાથવા માટે મારે આ વ્રતનો સ્વીકાર કરવો અતિ જરૂરી છે, તેમ માની શ્રાવક આ વ્રતનો સ્વીકાર કરે. ૧૨૬ જિજ્ઞાસા : ટેન્શન વિના શાંતિથી જીવન જીવી શકાય તે માટે પણ આજે ઘણા જીવો અલ્પ ધનાદિ રાખે છે. તેઓ પરિગ્રહ-પરિમાણ-વ્રતવાળા કહેવાય કે નહિ ? તૃપ્તિ : શાંતિથી જિવાય, તનાવ મુક્ત રહેવાય, તેટલા માટે જેઓ ધનધાન્યાદિ સામગ્રી ઓછી રાખે છે, પરંતુ અંદરમાં પડેલા મમતાના ભાવને કાઢવાની જેઓની ભાવના નથી, તેઓમાં આ વ્રત ઘટતું નથી. આ વ્રત તો તેઓમાં જ ઘટે છે જેને મમતા, અસંતોષ આદિ દોષો ખટકે છે, અને એ દોષોથી મુક્ત થવા જ પરિગ્રહનું પરિમાણ કરે છે; કેમકે આ વ્રતમાં ધનાદિની સંકોચવૃત્તિનું મહત્ત્વ નથી, પરંતુ, નિર્મમભાવની પોષક સંકોચવૃત્તિનું મહત્ત્વ છે; કારણ, બાહ્ય પરિગ્રહ પરિમાણ પણ આંતરિક પરિગ્રહને ઘટાડવા માટે છે. आयरिअमप्पसत्थम्मि परिमाणपरिच्छेए, इत्थ पमायप्पसंगेणंપ્રમાદના પ્રસંગથી અપ્રશસ્ત એવા (લોભાદિ) ભાવોમાં વર્તતાં અહીં = પાંચમા અણુવ્રતના વિષયમાં (પરિગ્રહના) પરિમાણની નક્કી કરેલી મર્યાદાને નહીં પાળવામાં વ્રતનું જે ઉલ્લંઘન થયું હોય (તેનું હું પ્રતિક્રમણૅ કરું છું.) આ વ્રતનો સ્વીકાર કરીને પણ ક્યારેક અજાણતાં કે ક્યારેક લોભાદિ કષાયને આધીન થઈ વ્રતમર્યાદાની બહારની ચીજ-વસ્તુને મેળવવાની ઇચ્છા થઈ હોય, કે તેવી કોઈ પ્રવૃત્તિ થઈ હોય, પ્રમાદથી ક્યારેક વ્રત-મર્યાદા ચૂકાઈ ગઈ હોય, મર્યાદિત વસ્તુમાં પણ અતિ આસક્તિ કરી હોય - આવું કાંઈ પણ અપ્રશસ્ત આચરણ થયું હોય તો આ વ્રતવિષયક દોષ છે. આ દોષથી બચવા જ શ્રાવકે પરિગ્રહપરિમાણના પાલનથી થતા ફાયદા અને અપાલનથી થતાં નુકસાનને વિચારી, મનને પ્રથમથી એવું તૈયાર કરવું જોઈએ કે મનમાં કોઈ માઠા ભાવો પ્રગટે જ નહિ. 4. अपरिगह एव भवेद्वस्त्राऽभरणालंकृतोऽपि पुमान्, ममकारविरहितः सति ममकारे संगवान् - યોગશાસ્ત્ર (૨-૧૦૬) મમતા વિના વસ્ત્ર-આભરણોથી શોભતો પુરુષ પણ પરિગ્રહરહિત છે, અને નગ્ન (અતિ દરિદ્રી કે સર્વ પદાર્થોનો ત્યાગી) છતાં તેમાં મમત્વવાળો હોય તો પરિગ્રહવાળો છે.
SR No.005838
Book TitleSutra Samvedana Part 04
Original Sutra AuthorN/A
AuthorPrashamitashreeji
PublisherSanmarg Prakashan
Publication Year2006
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy