________________
12
થઈ પરોક્ષ ઉપકારની વાત, પ્રત્યક્ષ ઉપકારમાં સૌથી પ્રથમ ઉપકાર છે ધર્મપિતા તુલ્ય (સંસારી પક્ષે મારા મામા) વર્ધમાન તપોનિધિ પ.પૂ. ગુણયશસૂરીશ્વરજી મહારાજાનો જેમને મને ધર્મના માર્ગે વાળી અને વ્યાખ્યાન વાચસ્પતિ પ.પૂ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાનો ભેટો કરાવ્યો. તેઓશ્રીનો સુયોગ સાંપડતા મારા જીવનમાં વૈરાગ્યના અંકુરા ફૂટયા અને સંસારનો ત્યાગ કરી હું સંયમ માટે સજ્જ બની. અહીં સુધી પહોંચાડનાર તે મહાપુરુષોના ઉપકારને તો હું ક્યારેય ભૂલી શકું તેમ નથી.
પત્થર પર ટાંકણા મારી શિલ્પિ જેમ અનેક સ્થાપત્યો તૈયાર કરે છે, તેમ ટકોરના ટાંકણાથી મારા જીવનને ઘડવાનું કાર્ય મારા પરમોપકારી ગુરુદેવ પ.પૂ. ચંદ્રાનનાશ્રીજી મ.સા. એ કર્યું. તેમને સંયમ જીવન જીવતાં તો શીખવાડ્યું જ, પણ સાથે સાથે સંયમને સમુજ્વળ બનાવવા સતત શાસ્ત્રાભ્યાસ કરવાની પ્રેરણા અને સગવડો પણ આપી. આજે જીવનમાં જે કાંઈ યત્કિંચિત સારું જોવા મળે છે તે તેમની પ્રેરણારૂપ સિંચનનું ફળ છે. આ તેમના ઉપકારનો બદલો તો હું ક્યારેય વાળી શકું તેમ નથી.
આ સૂત્રના ઊંડાણ સુધી પહોંચવામાં, વ્રતોની સૂક્ષ્મ સમજ આપવામાં અને શંકાઓનું સમાધાન કરી આપવામાં મને પંડિતવર્ય સુ.શ્રા. પ્રવીણભાઈ મોતાની ખૂબ સારી સહાય પ્રાપ્ત થઈ છે. અવસરે અવસરે શ્રૃતમાં સહાય કરનાર તેમનો ઉપકાર પણ ક્યાંય વિસરાય તેવો નથી.
આ પુસ્તકનું સાદ્યંત લખાણ થયા પછી તેમાં આલેખાયેલ પદાર્થોની શાસ્ત્રાનુસારીતા તપાસી આપવા મેં સન્માર્ગદર્શક ૫.પૂ.આચાર્યદેવ શ્રીમદ્ વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજને વિનંતી કરી. અનેકવિધ શાસનરક્ષા અને પ્રભાવનાના કાર્યમાં વ્યસ્ત હોવાને કારણે તેઓ આ કાર્યને શીઘ્ર હાથમાં લઈ શક્યા નહિ. પરંતુ છેલ્લે છેલ્લે વિહારના શ્રમની વચ્ચે પણ તેમને શબ્દશઃ લખાણ તપાસી આપ્યું. હિંસાનું સ્વરૂપ, કષાયોનો વિવેક આદિ અનેક વિષયોનું તેમને વિસ્તૃતિકરણ કરવા સૂચવ્યું. જેના પરિણામે આ લખાણમાં ઘણી સૂક્ષ્મતા આવી છે.
પરાર્થ પરાયણ પંન્યાસપ્રવર પ.પૂ.ભવ્યદર્શન વિજય મ.સા.એ આ અગાઉ સૂત્ર સંવેદના ભાગ-૨ જોઈ આપ્યો હતો. જેના લીધે ઘણી ઘણી ભાષાકીય ભૂલો સુધારી શકાઈ અને પદાર્થની સચોટતા પણ આવી શકી. તેથી આ ભાગ પણ તેઓ જોઈ આપે તેવી મારી અંતરની ભાવના હતી. તેઓશ્રીએ તેને સહર્ષ સ્વીકારી આખું લખાણ ઝીણવટથી તપાસી આપ્યું. આ સિવાય પૂ. હર્ષવર્ધન વિજય મ.સા. તથા પૂ.સંયમકીર્તિ વિજય મ.સા. પાસેથી પણ લખાણ સંબંધી ઘણા સૂચનો પ્રાપ્ત થયા છે. તેઓનો આત્મીયભાવ પણ એક પ્રેરક તત્ત્વ બની રહ્યું.