SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ સૂત્રસંવેદના-૪ વિશેષાર્થ : તરૂણ મનુષ્યયમ્મી, -પત્રદરવિર - ત્રીજા અણુવ્રતમાં (બીજાની માલિકીનું દ્રવ્ય લેવા સ્વરૂપ) સ્કૂલ ચોરીની કરેલી વિરતિથી. સમ્યક્ત્વ મૂળ બાર વ્રતમાં ત્રીજું વ્રત “સ્થૂલ અદત્તાદાનવિરમણ વ્રત' છે. મૃષાભાષા જેમ સ્વ-પરને પીડાકારક હોઈ આત્માના અહિંસકભાવરૂપ મૂળ સ્વભાવનો નાશ કરે છે, તે જ રીતે કોઈની વસ્તુ પડાવી લેવાથી કે ચોરી લેવાથી પણ પોતાના અને અન્યના દ્રવ્ય-ભાવ પ્રાણનો વિનાશ થાય છે. આથી અહિંસકભાવરૂપ પોતાના મૂળ સ્વભાવને પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળા સાધકે સર્વથા અદત્તાદાનવિરમણવ્રતનો સ્વીકાર કરવો જોઈએ. ત્રીજા વ્રતનું સ્વરૂપ: અદત્ત = નહિ આપેલું. આદાન = ગ્રહણ કરવું. દ્રવ્યના મૂળ માલિકની પરવાનગી મેળવ્યા વિના તેનું ધન મેળવીને કે પડાવી લઈને, તેની ઉપર પોતાનો અધિકાર સ્થાપિત કરવો, તે “અદત્તાદાન” છે. આ અદત્તનું આદાન ચાર પ્રકારે થાય છે : (૧) સોનુ, ચાંદી વગેરે વસ્તુઓ તેના માલિકે આપ્યા વિના લઈ લેવી તે “સ્વામી અદત્તછે. (૨) જીવ પોતાના શરીરનો માલિક હોય છે. તે જીવની રજા વિના તેના શરીરનો ભોગ કરવો, તેનો નાશ કરવો તે “જીવ અદત્ત' છે.. (૩) પરમાત્માને જીવન સમર્પિત કર્યા પછી તેમની આજ્ઞા ન હોય તેવા આધાકર્મી આદિ દોષથી દોષિત આહાર આદિ લાવવાં તે “તીર્થકર અદત્ત' છે. (૪) સંયમજીવનનો સ્વીકાર કરીને, ગુરુભગવંતના ચરણે મન-વચન-કાયાનું સંપૂર્ણ સમર્પણ કર્યા પછી, ગુરુની આજ્ઞાવિરુદ્ધ કે આજ્ઞા વિના નિર્દોષ કે દોષિત આહારાદિ લાવવાં તે “ગુરુ અદત્ત છે. સર્વથા અદત્તાદાનવિરમણ વ્રતનો સ્વીકાર કરનારા સાધુભગવંતો આ ચારમાંથી એક પણ પ્રકારના અદત્તને ગ્રહણ કરતા નથી. નિશ્ચયથી આ વ્રતનું વર્ણન કરતાં શાસ્ત્રકારો કહે છે કે પરભાવનો સ્વીકાર માત્ર પણ અદત્તાદાન છે આ જ કારણથી આત્માથી પર એવા પુદ્ગલોને ગ્રહણ કરવા કે આત્મા માટે
SR No.005838
Book TitleSutra Samvedana Part 04
Original Sutra AuthorN/A
AuthorPrashamitashreeji
PublisherSanmarg Prakashan
Publication Year2006
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy