________________
૧૦૦
સૂત્રસંવેદના-૪
અન્વચસહિત સંસ્કૃત છાયાઃ
सहसा-रहः स्वदारेषु, मृषोपदेशे च कूटलेखे च ।
द्वितीयव्रतस्य अतिचारान् दैवसिकं सर्वम् प्रतिक्रामामि ।।१२।। ગાથાર્થ :
સહસા અભ્યાખ્યાન, રહસ્ય અભ્યાખ્યાન, સ્વદારામ–ભેદ, મૃષાઉપદેશ અને કૂટલેખ, એમ બીજા વ્રતના પાંચ અતિચારોનું દિવસ દરમ્યાન જે આસેવન થયું હોય તે સર્વનું હું પ્રતિક્રમણ કરું છું. વિશેષાર્થ :
વ્રતધારી શ્રાવકે અસત્યના કટુ વિપાકોને વિચારી મનને એવું તૈયાર કર્યું હોય કે પ્રાય: તેનાથી અસત્ય બોલાય જ નહીં; તોપણ પ્રમાદને કારણે અપ્રશસ્ત કષાયોને આધીન થઈ કે અનાભોગાદિથી ક્યારેક તેનાથી બીજાને આઘાત-ઉપઘાત થાય તેવું વચન બોલાઈ જાય, તો વ્રતમાં અનેક પ્રકારની મલિનતા પેદા થાય છે. વ્રતને મલિન કરનાર અનેક પ્રકારના દોષોનો સંક્ષેપ કરી સામાન્યથી આ ગાથામાં પાંચ અતિચાર બતાવ્યા છે.
સહસા' - સહસા અભ્યાખ્યાન, વગર વિચારે એકાએક બોલવું.
બીજા વ્રતનો સ્વીકાર કરનારા શ્રાવકોએ કોઈના વિષે કોઈપણ પ્રકારનો અભિપ્રાય આપતાં પહેલાં કે કોઈ વાતની રજૂઆત કરતાં પહેલાં તે વિષયની જરૂરી તમામ જાણકારી મેળવવી જોઈએ, ઊંડું ચિંતન કરવું જોઈએ, પછી જેવું હોય તેવું યથાર્થ કહેવું જોઈએ. વિચાર્યા વિના કોઈ પણ વસ્તુવિષયક કે વ્યક્તિવિષયક “આ સારો છે કે આ ખરાબ છે એવો કોઈપણ પ્રકારનો અભિપ્રાય ન આપવો જોઈએ; કેમ કે વગર વિચારે, ઉતાવળે અભિપ્રાય આપવાથી સ્વીકારેલું વ્રત દૂષિત થાય છે. આ વ્રતવિષયક પ્રથમ અતિચાર છે.
રહસ્ - રહસ્ય અભ્યાખ્યાન, કોઈની ગુપ્ત મંત્રણા પ્રગટ કરવી.
રહ એટલે એકાંત. એકાંતમાં કે ગુપ્ત રીતે કોઈકની સાથે વાત થઈ હોય, કે કોઈની એકાંતમાં થતી વાત સાંભળી હોય, તો તેને કદી પ્રગટ ન કરવી. 1. સૂરના સૂત્રમ્ - અત્યાક્ષ વદરઃ અપ્રતિપાત સૂર - “માત્ર સૂચન કરનારું હોય તેને
સૂત્ર કહેવાય છે.' એ વચનથી ગાથામાંના સહ શબ્દથી સહસાવ્યાખ્યાન : શબ્દથી રહોભ્યાખ્યાન, લારા શબ્દથી સ્વદારા મંત્રભેદ એમ સમજવું.