________________
બીજું વ્રત
૯૯
લવાદ યા પંચ આગળ, કોઈની ખોટી સાક્ષી પૂરવી એ મહા અનર્થનું મૂળ છે. આ પાંચમું મોટું જૂઠાણું છે. - આ પાંચે અસત્યો ક્લિષ્ટ આશયથી બોલાતાં હોવાને કારણે તેને સ્થૂલ અસત્ય કહેવાય છે. બીજા વ્રતને સ્વીકારી શ્રાવક, આ પાંચે જૂઠાણાંનો ત્યાગ કરે છે.
લારિયમપત્યે લ્ય પમાયસો - પ્રસાદના કારણે અપ્રશસ્તભાવનો ઉદય થતાં અહીં = બીજા વ્રતમાં જે કાંઈ) વિપરીત આચરણ કર્યું હોય. (તેનું હું પ્રતિક્રમણ કરું છું)
આત્માનું અહિત કરે, વ્રતમર્યાદાનું ભાન ભુલાવે તેવા કાષાયિક ભાવોને અપ્રશસ્તભાવ કહેવાય છે. આમ તો વ્રતધારી શ્રાવક આવા ભાવો પોતાના મનમાં ન પ્રગટે તે માટે સાવધ હોય છે, તોપણ પ્રમાદવશ અસાવધ બનતાં મનમાં અપ્રશસ્ત ભાવો પ્રગટે છે, જેને લઈને વ્રતની મર્યાદા ચુકી જવાય છે. આવું ન બને તે માટે શ્રાવકે અસત્ય વચનના કટુ વિપાકો વિચારી મનને ખૂબ તૈયાર કરવું જોઈએ, તે આ પ્રમાણે – અસત્યના નુકસાનો :
અસત્ય બોલવાથી ભવિષ્યમાં મૂંગાપણું, બોબડાપણું, જીલ્લાછેદ, અપ્રિયવાદિતા વગેરે પ્રાપ્ત થાય છે. વર્તમાનમાં ખોટું બોલનાર બીજાના - અવિશ્વાસનું કારણ બને છે. વળી, એક જુઠું બીજાં સત્તર જુઠાં બોલાવે છે. અસત્ય બોલનાર નિર્ભય રહી શકતો નથી. તેને ઘણા ભય સતાવતા હોય છે. અસત્ય ભાષાનાં આવાં કટુ ફળો વિચારી વ્રતધારી શ્રાવકે ક્યારેય અસત્ય ન બોલાઈ જાય તે માટે ખૂબ સજાગ અને સાવધ રહેવું જોઈએ. અવતરણિકા :
હવે બીજા વતની મર્યાદાનું કયા પ્રકારે ઉલ્લંઘન થઈ શકે છે, તે સૂચિત કરવા બીજા વ્રતના પાંચ અતિચારો જણાવે છેગાથા:
सहसा-रहस्सदारे, मोसुवएसे अ कूडलेहे अ ।
વીથ સ્મફગારે, પણ સમં સવં તારા . 5. આ પદનું વિશેષ વર્ણન ગાથા નં. ૯ માંથી જોવું.