SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્રસંવેદના-૩ આ અષ્ટ પ્રવચનમાતાનું પાલન મુખ્યત્વે સામાયિક અને પૌષધમાં કરવાનું છે. તે સિવાય પણ શ્રાવકે પોતાની સર્વ પ્રવૃત્તિમાં જયણાને પ્રાધાન્ય આપવાનું છે. નિરર્થક હિંસાદિ પાપ ન થઈ જાય તેની ખાસ કાળજી રાખવાની છે. આવી પ્રવૃત્તિથી જ દેશવિરતિનો પરિણામ વૃદ્ધિમાન થાય છે અને અંતે સર્વવિરતિ માટે તે જીવ સક્ષમ બની શકે છે. ર આ ગાથા બોલતાં સાધક વિચારે કે, “ભગવાનના શાસનનું સંયમ અને તેને પામવાના માર્ગો કેવા સુંદર છે ! મનને એકાગ્ર કરી સમિતિ-ગુપ્તિરૂપ આ આચારોનું પાલન ચાલુ કરું તો મોક્ષનું આંશિક સુખ આજે અહીં જ માણી શકું તેમ છું. તો પણ વિષય-કષાયની આ પરાધીનતા કેવી છે ? કે નથી તો સુવિશુદ્ધ ભાવે સંયમનો સ્વીકાર થતો કે નથી તેના આચારોનું યથાયોગ્ય પાલન થતું. હવે એ દૃઢ સંકલ્પ કરી એકાગ્રતાપૂર્વક સમતિ-ગુપ્તિનું પાલન કરી મારામાં સંયમ ગુણને પ્રગટાવું અને આત્માનંદ અહીં જ માણું.”
SR No.005837
Book TitleSutra Samvedana Part 03
Original Sutra AuthorN/A
AuthorPrashamitashreeji
PublisherSanmarg Prakashan
Publication Year2007
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy