SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ સૂત્રસંવેદના-૩ વિચારશીલતા સાથે વિશિષ્ટ શક્તિ અને ઉદારતા આદિ ગુણો હોવા પણ જરૂરી છે. આ ગાથા બોલતાં સાધક વિચારે કે, સાચે જ મારામાં સમ્યગદર્શન નથી માટે જ હું અનાદિ કાળથી આ સંસારમાં ભટકી રહ્યો છું. સમ્યગદર્શન તો મારામાં નથી, પણ તેને પ્રાપ્ત કરવાના આચારો પણ મારામાં નથી. કદાચ આ ભવમાં હું વિશેષ જ્ઞાન ન મેળવી શકું, કદાચ વિશેષ ચારિત્રનું પાલન પણ ન કરી શકું, પણ પ્રભુ ! મને તારી વચન પ્રત્યે આદર પ્રગટે, અડગ વિશ્વાસ આવે, ક્યાંય મારું મન શંકા, કાંક્ષામાં અટવાઈ ન જાય, જેથી સ્વયં તો શ્રદ્ધાસંપન્ન બનું અને અન્યને પણ દઢ શ્રદ્ધાવાળા બનાવવા મહેનત કરું, એટલું તારી પાસે માંગું છું.”
SR No.005837
Book TitleSutra Samvedana Part 03
Original Sutra AuthorN/A
AuthorPrashamitashreeji
PublisherSanmarg Prakashan
Publication Year2007
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy