SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ તાસંમિ દંસણમિ સૂત્ર ૪૧ અવતરણિકા : . પાંચ પ્રકારના આચારમાં પ્રથમ જ્ઞાનાચાર વર્ણવે છે - ગાથા : काले विणए बहुमाणे, उवहाणे तह अनिण्हवणे । વિંગ-ન્જિતકુમા, સવિદો નાપામાયારો ા૨ાા અન્વય સહિત સંસ્કૃત છાયા : काले विनये बहुमाने, उपधाने तथा अनिह्नवने । એનાર્થત૬મયેષુ, વિધ: જ્ઞાનાવર: નારા . ગાથાર્થ : શાસ્ત્રમાં નિયત કરેલા સમયે, ગુર્નાદિના વિનયપૂર્વક, અંતરંગ બહુમાનપૂર્વક, તપાદિ(ઉપધાનીપૂર્વક, જ્ઞાનદાતા ગુરુને છુપાવ્યા વગર, સૂત્રના શુદ્ધ ઉચ્ચારણપૂર્વક, અર્થની વિચારણાપૂર્વક, શબ્દ અને અર્થ ઉભયની શુદ્ધિપૂર્વક શાસ્ત્રાભ્યાસ કરવો તે આઠ પ્રકારનો જ્ઞાનાચાર છે. વિશેષાર્થ : સર્વજ્ઞકથિત શાસ્ત્રના આધારે વસ્તુના યથાર્થ સ્વરૂપને જાણવું તે જ્ઞાન છે, અને આ જ્ઞાનને મેળવવા જે શુભ આચરણ કરવામાં આવે છે, તેને જ્ઞાનાચાર કહેવાય છે. તેના આઠ પ્રકારો નીચે મુજબ છે ૨. રાત્રે - કાળના નિયમને અનુસરવા વિષયક “કાલ' નામનો પ્રથમ જ્ઞાનાચાર છે. : કોઈપણ કાર્યની સિદ્ધિમાં કાળ એ પણ એક મહત્ત્વનું કારણ છે. આથી જ્ઞાનપ્રાપ્તિ માટે શાસ્ત્રમાં જે સમય સૂચિત કર્યો છે, તે સમયે જ તે તે શાસ્ત્રનો અભ્યાસ કરવો તે કાળવિષયક પ્રથમ જ્ઞાનાચાર છે. કાળમર્યાદા સાચવીને શાસ્ત્રાભ્યાસ કરવાથી જ્ઞાનાવરણીય કર્મનો નાશ થાય છે અને આ મર્યાદાનું ઉલ્લંઘન કરવાથી જ્ઞાનાવરણીય કર્મનો બંધ થાય છે.
SR No.005837
Book TitleSutra Samvedana Part 03
Original Sutra AuthorN/A
AuthorPrashamitashreeji
PublisherSanmarg Prakashan
Publication Year2007
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy