________________
અઢાર પાપસ્થાનક સૂત્ર
સૂત્ર પરિચય :
પાપબંધના કારણભૂત એવાં અઢાર સ્થાનકોનું વર્ણન આ સૂત્રમાં છે, તેથી તેનું નામ “અઢાર પાપસ્થાનક સૂત્ર' છે.
પાપબંધનું મુખ્ય કારણ મનની મલિન વૃત્તિઓ છે. કષાયો અને કુસંસ્કારોને કારણે પ્રગટ થતી આ મલિન વૃત્તિઓ અસંખ્ય પ્રકારની હોય છે, તોપણ સૂત્રકારે સામાન્યજન સમજી શકે તે રીતે સંક્ષેપ કરીને તેના અઢાર પ્રકાર આ સૂત્રમાં વર્ણવ્યા છે. . .
પાપના કારણરૂપ આ વૃત્તિઓ પ્રથમ પ્રાયઃ મનમાં જન્મે છે અને ત્યારપછી વાણી અને કાયા દ્વારા વિસ્તાર પામીને અનેક કુપ્રવૃત્તિઓ રૂપે સ્વ-પરનાં દુઃખોનું કારણ બને છે.
દુઃખ કોઈને ગમતું નથી, પરંતુ દુઃખ શેનાથી આવે છે, તે સામાન્યજન સમજી શકતો નથી. આથી આ સૂત્રમાં ગુજરાતી ભાષામાં સૌ કોઈ સમજી શકે તેવા શબ્દોમાં દુઃખના કારણરૂપ પાપનાં અઢાર સ્થાનોનો નિર્દેશ કર્યો છે. પ્રતિક્રમણ કરતી વખતે આ સ્થાનોને માત્ર બોલી જવાથી કોઈ ફાયદો થતો નથી, પરંતુ આ સૂત્ર બોલતાં પહેલાં તેના પ્રત્યેક પદ પર વિચાર માત્ર નહિ, પણ ઊંડી અનુપ્રેક્ષા કરવી અતિ જરૂરી છે; કેમ કે, તો જ ખ્યાલ આવશે કે અંતરના ઊંડાણમાં કેવા કુસંસ્કારો પડ્યા છે, મનમાં કેવી મલિન વૃત્તિઓ પ્રવર્તે છે અને કષાયને આધીન