SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ સાત લાખ સૂત્ર ૧૨૭ ૧૨૭ દશ લાખ પ્રત્યેક વનસ્પતિકાય? પ્રત્યેક વનસ્પતિકાય જીવોની યોનિ દશ લાખ છે. વનસ્પતિકાય જીવોના બે પ્રકાર છે : સૂક્ષ્મ અને બાદર. તેમાં બાદર વનસ્પતિકાયના બે પ્રકાર છે : પ્રત્યેક અને સાધારણ. એક શરીરમાં એક જીવ હોય તેવા વનસ્પતિના જીવોને પ્રત્યેક વનસ્પતિકાય કહેવાય છે, અને એક શરીરમાં અનંતા જીવો હોય તેવા વનસ્પતિના જીવોને સાધારણ વનસ્પતિકાય કહેવાય છે. ફળ, ફૂલ, છાલ, કાષ્ઠ-થડ, મૂળ, પાંદડાં અને બીજ, એમ સાત સ્થાનોમાં સ્વતંત્ર રીતે રહેનારા પ્રત્યેક વનસ્પતિકાયના જીવો. હોય છે, અને તેમનાં છેદન, ભેદન વગેરેથી તે જીવોની વિરાધના થાય છે. આ પદ બોલતાં તે સર્વ વિરાધનાને સ્મરણમાં લાવી ક્ષમાપના કરવાની છે. ચૌદ લાખ સાધારણ વનસ્પતિકાય : સાધારણ વનસ્પતિકાયના જીવોની યોનિ ચૌદ લાખ છે. સાધારણ વનસ્પતિકાયના બે પ્રકાર છે ઃ સૂક્ષ્મ અને બાદર. તેમાં બાદર સાધારણ વનસ્પતિકાય લોકના અમુક ભાગોમાં જ હોય છે. તેના અનેક પ્રકારો છે. તેને ઓળખવાના ચિન્હો શાસ્ત્રમાં આ પ્રમાણે બતાવ્યાં છે : જેની નસો, સાંધા, ગાંઠો ગુપ્ત હોય, જેને ભાંગવાથી બે સરખા ભાગ થતા હોય અને જેનો કપાયેલ કોઈ એક ટુકડો પણ વાવવાથી પુનઃ ઊગી શકે; તેવા વનસ્પતિના જીવોને સાધારણ વનસ્પતિકાય કહેવાય છે. જે સાધારણ વનસ્પતિકાય જમીનમાં ઊગે છે તેને કંદમૂળ પણ કહેવાય છે, અને તેના એક જ શરીરમાં અનંતા જીવ હોવાથી તેને અનંતકાય પણ કહેવાય છે. બટાકા, કાંદા, મૂળા, ગાજર, લીલું આદુ, સૂરણ, લીલી હળદર, પાંચ વર્ણની ફૂગશેવાળ વગેરે અનંતકાય જીવોના અનેક પ્રકારો છે. જીભના સ્વાદ ખાતર કે શરીરના રાગ ખાતર જે પણ આવા જવાની 8. गूढसिर संधि पव्वं, समभंगमहिरुगं च छिन्नरुहं । साहारणं सरीरं, तविवरीयं च पत्तेयं ।।१२।। આ વિષયની વિશેષ માહિતી ‘વંદિતુ' સૂત્રમાંથી મેળવવી. - જીવવિચાર ગાથા-૧૨.
SR No.005837
Book TitleSutra Samvedana Part 03
Original Sutra AuthorN/A
AuthorPrashamitashreeji
PublisherSanmarg Prakashan
Publication Year2007
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy