________________
તમોત્યુ ણં સૂત્ર
પર શયનાન્ પુરુષ: - એટલે કે જે પુર્મા શયન કરનાર હોય તેને પુરુષ કહેવાય. અહીં પુરુ એટલે શરીર અને શયન કરવું એટલે રહેવું, જે જીવ શરીરમાં રહેતો હોય તેને પુરુષ કહેવાય. આ રીતે અર્થ કરવાથી સંસારવર્તી સર્વ જીવોને પુરુષ કહેવાય છે.
અરિહંતપરમાત્મા સર્વ જીવોમાં ઉત્તમ છે. કેમ કે, નિગોદ અવસ્થાથી પ્રારંભી તેમનામાં યોગ્યતારૂપે બીજા જીવો કરતાં વિશિષ્ટ કોટિના દશ ગુણો રહેલા છે અને જેમ જેમ ગુણસંપત્તિને યોગ્ય દ્રવ્ય, ક્ષેત્ર, કાળાદિની સામગ્રી પ્રાપ્ત થતી જાય છે, તેમ તેમ આ ગુણો પ્રગટરૂપે દેખાય છે. વળી, અંતિમ ભવમાં તો તીર્થંકરના આત્મામાં આ દશ ગુણો પરાકાષ્ઠાએ પહોંચે છે. ઉત્કૃષ્ટ કોટિના આ ગુણોની પરાકાષ્ઠા તેમના સિવાય અન્ય કોઈમાં સંભવી શકતી નથી.
પરમાત્માના આ દશ ગુણ એ આધ્યાત્મિક વિકાસનાં દશ પગથિયાં છે. આ ગુણોને કારણે પરમાત્મા ઉત્તમ છે, તેથી તેમણે પણ આધ્યાત્મિક સુખની પ્રાપ્તિ કરવી હોય, તેમણે પણ પોતાના જીવનમાં આ દશ ગુણોને વણી લેવા જોઈએ. '
ઉત્તમ પુરુષોના દશ ગુણો : ૧. પરાર્થવ્યસની પરાર્થ=પરોપકાર અને વ્યસન=ટેવ.
અરિહંતના આત્માઓ પરોપકાર કરે છે તેટલું જ નહિ, પરંતુ પરોપકારના તેઓ વ્યસની હોય છે. જે માણસને જેની ટેવ હોય છે, તે કર્યા વિના તેને ચેન પડતું નથી, પરમાત્માને પણ પર-ઉપકાર કરવાનું વ્યસન હોય છે તેથી જ તેઓ બીજાના કાર્યને શોધતા ફરે છે. જેમ કે, અનેકની ના હોવા છતાં જાતની પરવા કર્યા વિના ભગવાન શ્રીમહાવીરસ્વામી ચંડકૌશિકને પ્રતિબોધ કરવા જંગલની વાટે વિચર્યા હતા.
થાય છે. એઓનું માનવું છે કે, આ જગતમાં કોઈ અપાત્ર નથી કે કોઈ અયોગ્ય નથી સર્વ જીવો સમાન છે. જ્યારે “પુરિસરમાણં' પદમાં જણાવ્યું છે કે, અરિહંતપરમાત્મા પોતાની વિશિષ્ટ યોગ્યતાના બળે જ પુરુષોમાં ઉત્તમ બન્યા હતા. આના દ્વારા યોગ્યતામાં પણ ભેદ હોય છે એવું કથિત થાય છે. 'પુરુષ', સત્ત્વ વિ; તેષામ્ ‘ઉત્તમ:' સહબતથાપવ્યત્વામિાવતઃ પ્રધાન : પુરુષોત્તમઃ |
- લલિત વિસ્તરા