SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્રસંવેદના-૨ . છે માટે પ્રભુ આપણા માટે સ્તવનીય છે અને તેઓને કોઈએ બોધ પમાડ્યો નથી, તેઓ સ્વયં સંબોધિત છે. બીજા જીવોની જેમ જો તેઓ અન્યના ઉપદેશથી માર્ગ પામ્યા હોત તો ભગવાનને ઉપદેશ આપનારા અન્ય ઉપદેશક આપણા ઉપકારી બનત, પણ તેવું નથી. ભગવાન તો જાતે જ શ્રેષ્ઠ બોધિ પ્રાપ્ત કરે છે, આથી એ જ આપણા ઉપકારી અને તેથી જ વંદનાને યોગ્ય છે. આ રીતે આ બે પદ દ્વારા સ્તુતિનાં અસાધારણ કારણો બતાવ્યાં. ૭૦ બુદ્ધિમાનને પુનઃ પ્રશ્ન થાય કે, આવા પ્રભુનું અનાદિકાળથી 'કેવું સ્વરૂપ હતું કે, જેના કારણે તેઓ આ ભવમાં અરિહંત અને ભગવાન બન્યા. તે કારણો હવેનાં ચાર પદોની સ્તોતવ્ય સંપદાની જ ‘અસાધારણ હેતુસંપદા' નામની ત્રીજી સંપદા દ્વારા જણાવે પુરિમુત્તમાળ (નમોઽત્યુ ř) - પુરુષોમાં ઉત્તમ એવા (પરમાત્મા i) ઓને મારો નમસ્કાર થાઓ.) ત્રણ પદની બનેલી આ સંપદાને પૂજ્યપાદ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા લલિતવિસ્તરામાં ‘પ્રધાન સાધારણ અસાધારણ હેતુ' સંપદા કહે છે. જ્યારે કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચંદ્રાચાર્ય યોગશાસ્ત્રમાં તેને ‘ઓહેતુસંપદા' તરીકે જણાવે છે. આથી જ આ સંપદામાં આવતા ‘આફરાળ’ પદનું અર્થઘટન પણ બન્ને આચાર્ય ભગવંતો તરફથી અલગ અલગ રીતે થયું છે. યોગશાસ્ત્રકારે ‘આગરામાં' પદનો અર્થ કરતાં કહ્યું કે પ્રભુ શ્રુતધર્મની આદિ કરનારા છે. ભગવાનને જો શ્રુતધર્મની આદિને કરનારા સ્વીકારીએ તો તિત્યયરાળ પદની કોઈ આવશ્યકતા ન રહે. પરંતુ તેઓશ્રીએ તિત્ત્વવરાળ પદથી પરમાત્માને ચતુર્વિધ શ્રીસંઘ અને ગણધરની સ્થાપના કરનારા કહ્યા છે, તેથી બન્ને પદોમાં ભેદ પણ રહે છે અને તે બન્ને પદોથી ભગવાન કયા હેતુથી સ્તુતિ કરવા યોગ્ય છે, તે પણ જણાવે છે. આમ આ બે પદો અને ત્રીજું યં-સંબુદ્ધાળું પદ મળીને બીજી ‘ઓઘ હેતુસંપદા’ને તેમણે જણાવી છે. જ્યારે ‘લલિતવિસ્તરામાં’ ‘આરાĪ' પદથી ભગવાનને આદિમાં પૂર્વમાં જન્માદિ પ્રપંચને કરનારા કહ્યા છે. તીર્થંકર થયા પહેલાં પ્રભુ પણ સર્વ જીવોની જેમ જન્માદિ પ્રપંચને કરનારા હતા. તેમનો આ ધર્મ સર્વ જીવોની સાથે સાધારણ ધર્મ છે અને આવા જ ભગવાનને ‘તિત્યયરાળ' પદ દ્વારા તીર્થને કરનારા કહ્યા છે અને તીર્થ તરીકે અહીં ચતુર્વિધ શ્રીસંઘ ઉપરાંત પ્રવચન પણ સ્વીકારેલ છે. આમ અહીં જ્ન્માદિ પ્રપંચરૂપ સાધારણ ધર્મવાળા પ્રભુ અસાધારણ એવા તીર્થંકરપણાને અને સ્વયં સંબુદ્ધપણાને પામ્યા. તે કારણે જ તેઓ સ્તુતિ કરવા યોગ્ય બન્યા છે. આ રીતે આ ત્રણ પદની “પ્રધાન સાધારણ-અસાધારણ હેતુસંપદા' જણાવી છે. 27. ‘સર્વે જીવો સમાન છે' - એવી માન્યતા ધરાવનાર કોઈક બૌદ્ધમતનું ખંડન આ પદથી 26.
SR No.005836
Book TitleSutra Samvedana Part 02
Original Sutra AuthorN/A
AuthorPrashamitashreeji
PublisherSanmarg Prakashan
Publication Year2012
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy