________________
તમોત્યુ સૂત્ર
૬૯
જગતના જીવો ગાઢ મોહની નિદ્રામાં પોઢેલા છે, તેમને જાગૃત કરવા મહાપુરુષો અથાગ પ્રયત્ન કરે છે, તોપણ જૂજ જીવો જ મોહનિદ્રાનો ત્યાગ કરી શકે છે. જ્યારે અરિહંતપરમાત્માનું જીવદળ જ એવું ઉચ્ચકોટિનું છે કે, તેમને જાગૃત કરવા કોઈની જરૂર પડતી નથી. તેમની પોતાની જાગૃતિ વિશિષ્ટ કોટિની હોય છે. સંયમ જીવનના પ્રારંભથી જ નિરતિચાર સંયમ જીવનનું પાલન વગેરે ગુરુઉપદેશ વિના તેઓ સ્વયં કરતા હોય છે. બીજા જીવોને કાળ પાક્યા પછી પણ ગુરુઉપદેશાદિ નિમિત્તની જરૂર પડે છે. પરમાત્માને નિમિત્તની જરૂર પડતી નથી. ક્યારેક એવું દેખાય કે, નયસારના ભવમાં મુનિનો ઉપદેશ આદિ નિમિત્તે પરમાત્માએ સમ્યગુદર્શન પ્રાપ્ત કર્યું. આમ છતાં તે નિમિત્ત સદા ગૌણ ભાવે જ વર્તતું હોય છે, તેમની યોગ્યતા જ મુખ્ય હોય છે.
અરિહંતના આત્માઓ સ્વપ્રયત્નથી જે સમ્યક્તને પામે છે, તે સમ્યક્ત પણ સામાન્ય જીવો કરતાં વિશિષ્ટ કોટિનું હોય છે. તેથી જ તેને વરબોધિ કહેવાય છે. એમનું સમ્યક્ત જ એવા પ્રકારનું છે કે, જે ઉત્તરોત્તર ગુણ વિકાસ કરાવી અંતે તીર્થંકરપણાને પ્રાપ્ત કરાવે છે. જ્યારે અન્ય જીવોને પ્રાપ્ત થયેલું સમ્યક્ત તેને કેવળજ્ઞાનાદિ ગુણો પ્રાપ્ત કરાવે છે; પરંતુ તેમને અરિહંતપણા સુધી પહોંચાડી શકતું નથી.
આ પદ બોલતાં જેઓ સ્વયં વરબોધિને પામેલા છે, તેવા પરમાત્માને માનસપટ પર લાવી નમસ્કાર કરતાં તેવી આશંસા કરીએ કે -
“હે નાથ ! આપને કરેલા નમસ્કારની ફળશ્રુતિરૂપે, આપે જેવું સમ્યક્ત પ્રાપ્ત કર્યું છે, તેવું જ શ્રેષ્ઠ સમ્યક્ત મને
પણ પ્રાપ્ત થાઓ.” આ ભાવથી નમસ્કાર કરવાથી સમ્યક્ત ગુણમાં વિઘ્ન કરનાર મિથ્યાત્વ મોહનીયકર્મનો નાશ થાય છે અને આત્મા ધીમે ધીમે સમ્યક્ત ગુણને અભિમુખ થાય છે. -
‘તિસ્થયરા’ અને ‘યંસંવૃદ્ધાળ” આ બંને પદો દ્વારા પરમાત્માના અસાધારણ ધર્મો બતાવ્યા છે કેમ કે, આ બંને ધર્મો અરિહંતના આત્મા સિવાય ક્યાંય હોતા નથી. અરિહંતપરમાત્માએ તીર્થને પ્રવર્તાવી આપણા ઉપર મોટો ઉપકાર કર્યો
ભિન્ન ભિન્ન કોટિનું હોય છે. તેથી દરેક જીવો ભિન્ન ભિન્ન દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને પામીને મોક્ષમાં જાય છે. ભિન્ન ભિન્ન દ્રવ્યાદિની પ્રાપ્તિમાં કારણભૂત જે ભવ્યત્વ તે જ તથાભવ્યત્વ છે.