________________
૬૮
સૂત્રસંવેદના-૨
- સૌ પ્રથમ પરમાત્મા ગણધરપદને યોગ્ય એવા આત્માઓને ત્રિપદીનો ઉપદેશ આપે છે. બીજ બુદ્ધિના સ્વામી ગણધરભગવંતો પરિમિત શબ્દમાં અપાયેલ આ ત્રિપદી દ્વારા સમગ્ર વિશ્વવ્યવસ્થાને જાણે છે. સર્વ જીવનાં હિતાહિતને જાણે છે અને તેના આધારે દ્વાદશાંગીની રચના કરે છે. આ દ્વાદશાંગી ઉપર પ્રભુ મહોર મારે છે અને તેમના શાસનકાળ સુધી આ દ્વાદશાંગીને પામીને અનેક આત્માઓ ભવસાગર પાર કરે છે. આથી આ દ્વાદશાંગીને તીર્થ કહેવાય છે. ( પ્રવચન કોઈ આધાર વિના રહી શકતું નથી; તેથી સાક્ષાત્ પ્રાપ્ત થયેલું ભગવાનનું વચન કે દ્વાદશાંગી વગેરે ગ્રંથો દ્વારા પ્રાપ્ત થયેલું ભગવાનનું વચન જેના હૈયામાં પરિણામ પામે છે અર્થાત્ વચનને અનુરૂપ સર્વાશે કે અલ્પાશે વિરતિનો પરિણામ જેમનામાં પ્રગટે છે, તેવાં સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકારૂપ ચતુર્વિધ શ્રીસંઘ જે પ્રવચનના આધારભૂત છે, તે પણ તીર્થ છે. આવા તીર્થસ્થાપક પરમાત્માને તીર્થકર કહેવાય છે.
આ પદ બોલતાં તીર્થને પ્રવર્તાવવાં દ્વારા જેઓએ આપણા ઉપર અનન્ય ઉપકાર કર્યો છે, તે તીર્થંકર પરમાત્માને નજર સમક્ષ લાવી નમસ્કાર કરતાં એવી આશંસા કરવાની છે કે –
“હે નાથ ! આયે પ્રવર્તાવેલા તીર્થનું અવલંબન લઈને હું પણ
શીવ્ર સંસાર સાગર પાર કરી શકું તેવું સામર્થ્ય આયો !” આ ભાવપૂર્વક કરેલો નમસ્કાર તીર્થના આલંબનની પ્રાપ્તિમાં વિઘ્નકારક કર્મનો વિનાશ કરાવી, ભગવાનના વચન પ્રમાણે ચાલવાનું પૂર્ણ સામર્થ્ય આપે છે.
યંસંબુદ્ધા (નમોહ્યુ ") - જેઓ સ્વયં જ સમ્યગુ બોધને પામેલા છે એવા પરમાત્માઓને (મારો નમસ્કાર થાઓ.) -
તીર્થંકર પરમાત્માનું તથાભવ્યત્વ25 એવું વિશિષ્ટ કોટિનું હોય છે કે, તેના પ્રતાપે તેઓ સ્વયં એટલે જાતે જ સંબોધ અર્થાત્ શ્રેષ્ઠ બોધિને પ્રાપ્ત કરે છે. 24. આ પદ દ્વારા જેઓ માને છે - “મહેશનુગ્રહ વોઈનયમો' બોધ અને નિયમની એટલે
સમ્યજ્ઞાન અને સન્ક્રિયાની પ્રાપ્તિ મહેશના અનુગ્રહથી જ થાય છે, તેવા સદાશીવવાદીનો મત અમાન્ય ઠરે છે કેમકે, મહેશનો અનુગ્રહ પણ યોગ્ય આત્માઓને જ અસર કરે છે. આત્માની યોગ્યતા વિના માત્ર મહેશ પણ કાંઈ કરી શકતા નથી. જ્ઞાન અને ક્રિયાની
પ્રાપ્તિમાં સ્વ-યોગ્યતારૂપ ઉપાદાન કારણ પણ જરૂરી છે. 25. તે તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને પામીને મોક્ષમાં જવાની યોગ્યતા તે તથાભવ્યત્વ છે.
તથાભવ્યત્વ=વિશિષ્ટ કોટિનું ભવ્યત્વ. ભવ્યત્વ સૌનું સરખું હોવા છતાં, તથાભવ્યત્વ સૌનું