________________
સૂત્રસંવેદના-૨
પરોપકાર કરવા માટે હદય કોમળ જોઈએ. કઠોર હૃદયવાળા આત્માઓ સ્વાર્થમાં જ રચ્યા-પચ્યા રહે છે. પોતાના સ્વાર્થમાં અન્યનું શું થશે, તેનો તેમને વિચાર પણ આવી શકતો નથી, જ્યારે કરુણાસભર હૈયું અન્યની જરૂરીયાત, અન્યની મુશ્કેલીઓનો પહેલાં વિચાર કરે છે, તેથી જેમણે ધર્મ કરવો હોય, જેમણે આત્માનો આનંદ પ્રાપ્ત કરવો હોય તેમણે સૌ પ્રથમ પોતાનામાં આ ગુણનો વિકાસ કરવો જોઈએ.
૨. સ્વાર્થગૌણતા : પરમાત્મામાં સ્વાર્થની પ્રધાનતા ક્યારેય નથી હોતી. પરોપકાર કરનારા તો આ જગતમાં ઘણા હોય છે, પરંતુ પોતાનો સ્વાર્થ સાચવીને પોતાનું કાર્ય છોડીને પણ અન્યના કાર્ય કરવાની તત્પરતા તો કોઈ ઉત્તમ પુરુષોમાં જ જોવા મળે છે. શાંતિનાથ ભગવાનના જીવ મેઘરથરાજાએ એક કબૂતરને બચાવવા માટે પોતાની સમગ્ર કાયા સિચાણાને (શિકારીને) સોંપી દીધી અને નેમિનાથ પ્રભુએ, હરણાદિ પશુને બચાવવા માટે જેની સાથે નવ-નવ ભવની પ્રીત હતી તેવી રાજુલ રમણીનો પણ ત્યાગ કરી દીધો.
આ સ્વાર્થગૌણતા નામના ગુણને પ્રગટ કરવા પરમ ઔદાર્ય, પરમ કારુણ્ય અને પ્રતિકૂળતાને પ્રેમથી સ્વીકારવાની તૈયારી અતિ આવશ્યક છે. આવા ગુણોના વિકાસ વિના સ્વાર્થગૌણતા પ્રગટવી શક્ય નથી. કેમ કે, અનાદિકાળથી જીવો, હું અને મારું, મારા અને મારાને બરાબર સચવાઈ જવું જોઈએ, પછી બીજાની વાત; આવી વૃત્તિવાળા હોય છે. આવી સંકુચિત વૃત્તિવાળા જીવો કદી ઉત્તમ માર્ગ પામી શકતા નથી.
૩. અદીનતા : પરમાત્માના જીવમાં દિનપણાનો, રાંકડાપણાનો અભાવ હોય છે. સત્ત્વવિહીન જીવો નાની મુશ્કેલીઓ આવતાં દીન-હીન બની જાય છે. તેમનું મુખ રાંકડા જેવું પ્લાન બની જાય છે, તેમને જોતાં પણ કોઈને દયા આવે. તીર્થકર ગમે તેવી મુશ્કેલી આવે, ગમે તેવી પ્રતિકૂળતા આવે તોપણ તેઓ કદી દીન મુખવાળા બનતા નથી. ભગવાન ઋષભદેવ ૪૦૦ દિવસ સુધી આહાર માટે ફર્યા, નિર્દોષ આહાર ન મળ્યો તોપણ તેમનું મુખ જ્ઞાન ન થયું. જે પ્રસન્નતાથી આહાર લેવા ગયા હતા, તે જ પ્રસન્નતાથી આહાર ન મળવા છતાં પાછા ફર્યા. જેમને કર્મ ઉપર પૂર્ણ વિશ્વાસ હોય તે જ ઉત્તમ આત્માઓ આવા પ્રસંગે અદીન ભાવવાળા રહી શકે છે.
૪. ઉચિત ક્રિયા ? જે સમયે, જે સંયોગમાં; જે કરવા યોગ્ય હોય તે કરવું