SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ નમોત્થ ણં સૂત્ર વિશિષ્ટ પુદ્ગલ પરમાણુનું બનેલું પરમાત્માનું આ રૂપ કોઈના કામવિકારનું કારણ બનતું નથી, પરંતુ આ રૂપ, જોનારને શાંતિ અને પ્રશમભાવનો અનુભવ કરાવે છે. ૬૩ ૩. યશ : બાહ્ય શત્રુને જીતવા છતાં અંતરંગ રાગ, દ્વેષાદિ શત્રુઓ ન જીતાય તો અપયશની સંભાવના રહે છે. માટે જ પરમાત્માએ બાહ્ય શત્રુની ઉપેક્ષા કરી ધર્મધ્યાનના સંગ્રામ દ્વારા અંતરંગ રાગ, દ્વેષાદિ અતિ દુર્જાય એવા શત્રુઓના વિનાશ માટે પ્રયત્ન કર્યો, અને કોઈપણ પ્રકારની દીનતા કે વિહ્વળતા વિના પરિષહ અને ઉપસર્ગને સહન કરીને તે અંતરંગ શત્રુઓને જીતી પ૨માત્માએ, ત્રણે લોકને આનંદ આપે તથાં સદાકાળ રહે તેવો વિશાળ અને નિર્મળ યશ પ્રાપ્ત કર્યો. ૪. લક્ષ્મી : ઘાતિકર્મના નાશથી પરમાત્માને કેવળજ્ઞાન, કેવળદર્શન, ક્ષાયિક ભાવનું ચારિત્ર, અનંત વીર્ય, અતિશયિત આત્મિક સુખરૂપ શ્રેષ્ઠ અંતરંગ લક્ષ્મી અને તીર્થંકર નામકર્મના ઉદયથી ૩૪ અતિશયરૂપ શ્રેષ્ઠ બાહ્ય લક્ષ્મી (ઋદ્ધિ-સિદ્ધિ) પ્રાપ્ત થયેલ હોય છે. ૫. ધર્મ : ક્ષાયિક ભાવના સમ્યગ્નાન, દર્શન અને ચારિત્રરૂપ શ્રેષ્ઠ ધર્મ, પરમ શ્રેષ્ઠ કોટિના દાન, શીલ, તપ અને ભાવરૂપ ધર્મ, સાશ્રવભાવ અને નિરાશ્રવભાવરૂપ16 ધર્મ તથા સમતા17 અને વૃત્તિસંક્ષય18 આદિરૂપ મહાન યોગની પરમાત્માને પ્રાપ્તિ થઈ હોય છે: ૬. પ્રયત્ન : ચંચળ મનને સ્થિર કરવું તે અત્યંત કપરું કાર્ય છે. મનોયોગ આદિને સ્થિર કરવા માટે અત્યંત પુરુષાર્થની જરૂર પડે છે. પરમાત્મા પણ ભિન્ન ભિન્ન સ્થળે દોડી જતા મનને અટકાવીને તેને એક ચોક્કસ પ્રકારના ધ્યાનમાં સ્થિર કરે છે. એમ ઉત્તરોત્તર વિશિષ્ટ એકાગ્રતા સાધી તેઓ એક રાત્રિકી મહાપ્રતિમાને વહન કરે છે. શુક્લધ્યાન પ્રાપ્ત કરી, ક્ષપકશ્રેણી ઉપ૨ 15. સાશ્રવ ધર્મ : પરમાત્માની પૃથ્વીતલ ઉપર વિહરણ, ઉપદેશ-પ્રદાન આદિ પ્રવૃત્તિને સાશ્રવ ધર્મ કહેવાય છે. 16. નિરાશ્રવ ધર્મ : મોહના વિકારોથી અલિપ્ત રહી આત્મભાવમાં રહેવું તે નિરાશ્રવ ધર્મ છે. 17. સમતા : જગતના પદાર્થો જેવા છે તેવા છે. નથી સારા, નથી નરસા. આમ છતાં અજ્ઞાની જીવો તેને સારા-ખોટા તરીકે જુએ છે. જગતવર્તી સર્વ પદાર્થોમાં સારા-નરસાપણાની કે ઈષ્ટઅનિષ્ટપણાની બુદ્ધિનો ત્યાગ કરી,સર્વ દ્રવ્ય પ્રત્યે સમાન વૃત્તિને ધારણ કરવી તે સમતા છે. 18. વૃત્તિસંક્ષય : મનમાં ઉત્પન્ન થતા સંકલ્પો-વિકલ્પો અને શરીર દ્વારા થતાં સ્પંદનોનો સર્વથા. ત્યાગ કરવો એટલે ફરીથી ક્યારેય તે ઉત્પન્ન ન થાય તેવી દૃઢ રીતે તેનો નિરોધ ક૨વો, એ વૃત્તિસંક્ષય નામનો શ્રેષ્ઠ યોગ છે.
SR No.005836
Book TitleSutra Samvedana Part 02
Original Sutra AuthorN/A
AuthorPrashamitashreeji
PublisherSanmarg Prakashan
Publication Year2012
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy