________________
૨
સૂત્રસંવેદના-૨
થાય છે અને “વંત' શબ્દનો અર્થ “વાળો” થાય છે. ઐશ્વર્યાદિ છ ગુણવાળા જે છે તે ભગવાન છે, તેમને મારો નમસ્કાર થાઓ.
૧. એશ્વર્યઃ ઐશ્વર્ય એટલે સર્વશ્રેષ્ઠ ઠકુરાઈ. આ જગતમાં સર્વશ્રેષ્ઠ ઠકુરાઈ અરિહંત પરમાત્માની છે કેમ કે, દુન્યવી દૃષ્ટિએ ટોચકક્ષાના ગણાતા ભૌતિક સુખના અને (તીર્થંકર નામકર્મના ઉદયથી) પ્રાપ્ત થયેલા ૩૪ અતિશયોના તેઓ સ્વામી છે. તેમના ગુણોથી આકર્ષાયેલા દેવો, દેવેન્દ્રો અને નરેન્દ્રો પણ તેમના સેવક થઈને રહે છે અને તેમની અનેક પ્રકારે ભક્તિ કરે છે. કેવળજ્ઞાન થતાં જ ઈન્દ્રાદિદેવો અષ્ટ મહાપ્રાતિહાર્યની શોભા કરે છે. પરમાત્મા જ્યાં પગ મૂકે ત્યાં માખણ જેવાં કોમળ નવ સુવર્ણ કમળની રચના કરે છે. આવું અનેક પ્રકારનું પરમાત્માનું ઐશ્વર્ય પરમાત્માના આંતરિક ગુણોનું ઘાતક હોવાથી અનેક માટે ધર્મપ્રાપ્તિનું કારણ બને છે. તેમનું આ બાહ્ય ઐશ્વર્ય એ પણ યોગનો પ્રભાવ છે.
૨. રૂપઃ પ્રભુનું રૂપ અતિ સુંદર અને અનુપમ કોટિનું હોય છે. જગતમાં એવું રૂપ બીજા કોઈનું નથી કે જેની ઉપમા આપી ભગવાનના રૂપની આછેરી ઓળખ પણ આપી શકાય. છતાંય તેમના રૂપને વર્ણવતા મહાપુરુષોએ લખ્યું છે કે, સર્વ દેવો દૈવિક શક્તિથી પોતાનું બધું જ સૌન્દર્ય એક અંગૂઠામાં સંક્રમિત કરે અને તે અંગૂઠો ભગવાનના અંગૂઠા પાસે મૂકે તો તે અંગૂઠો ભગવાનના અંગૂઠાના રૂપ સામે કોલસા જેવો લાગે 14 માટે એક કવિવરે ગાયું
છે કે,
“દેખો માઈ અજબ રૂપ જિનજી કો; ઉનકે આગે ઓર બહુ કો, રૂપ લગે મોહે ફિકો, ... દેખો” “કોડી દેવ મિલકે કર ન સકે, એક અંગૂઠ રૂપ પ્રતિછંદ. એસો અદ્ભુત રૂપ તિહારો, વરસત માનું અમૃત કો બુંદ..
જય જય જય પાસ નિણંદ” 14 આવશ્યક નિર્યુક્તિમાં કહ્યુ છે કે - પોતાની અદ્ભુત શક્તિથી સર્વ દેવતાઓ મળીને એક
અંગુષ્ઠપ્રમાણરૂપ વિદુર્વે અને તે રૂપને ભગવંતના અંગૂઠાની તુલનામાં મૂકવામાં આવે તો દેવનિર્મિત અંગૂઠાની તેવી સ્થિતિ થાય કે જેવી સૂર્યની સામે અંગારાની ! सव्वसुरा जइ रूवं अंगुठ्ठपमाणयं विउव्वेज्जा । जिणपादंगुटुं पइ न सोहए तं जहिंगालो ।।५६६।।
- આવશ્યક નિર્યુક્તિ હારિભદ્રીય ટીકા