________________
૫૦
સૂત્રસંવેદના-૨
કરવા યોગ્ય અરિહંત ભગવંતો છે, તે જણાવવા પ્રથમ બે પદોની પહેલી સ્તોતવ્ય સંપદા' બતાવેલ છે. નમોડલ્યુ (રિહંતા) – (અરિહંતોને) નમસ્કાર થાઓ.
આ વાક્યમાં કુલ ચાર શબ્દો છે : નમો, ડબ્લ્યુ, i અને અરિહંતાણંતેમાં પ્રથમ નમો” શબ્દનો સામાન્ય અર્થ છે, નમસ્કાર. નમસ્કાર એટલે નમસ્કરણીય એવા અરિહંત ભગવંતના ગુણો સ્મૃતિમાં લાવી, તે ગુણો પ્રાપ્ત કરવા માટેનો મન, વચન, કાયાનો પ્રયત્ન.“નમો’ શબ્દ “પૂજા અર્થમાં પણ વપરાય છે. પૂજા એટલે ગુણવાન વ્યક્તિ પ્રત્યે અંતરમાં પ્રગટેલ બહુમાનભાવ વ્યક્ત કરવાની ક્રિયા.
કોઈ વ્યક્તિ પ્રત્યે આદર ઉત્પન્ન થતાં પ્રથમ તેનું બહુમાન કરવા તેને ફૂલ આદિથી વધાવી અથવા ફૂલાદિની ભેટ આપી સત્કારવામાં આવે છે. તેનાથી વધુ બહુમાન થતાં તેને મેવા-મીઠાઈ-અલંકારો આદિ અર્પણ કરવામાં આવે છે. તેનાથી પણ અધિક બહુમાન થતાં તેની પ્રશંસા કરવાનું મન થાય છે અને આગળ વધીને બહુમાનના કારણે તે વ્યક્તિ જેમ કહે તેમ કરવાનું મન પણ થાય છે. આ બહુમાનની વૃદ્ધિ સાથે સંકળાયેલ વિવિધ ક્રિયાઓને શાસ્ત્રકારોએ ચાર પ્રકારની પૂજારૂપે વિભાજિત કરેલ છે. તે આ પ્રમાણે – પૂજાના ચાર પ્રકાર :
૧. પુષ્પપૂજા, ૨. આમિપૂજા, ૩. સ્તોત્રપૂજા, ૪. પ્રતિપત્તિપૂજા. બીજી અપેક્ષાએ પૂજાના ૧. અંગપૂજા ૨. અગ્રપૂજા ૩. ભાવપૂજા ૪. પ્રતિપત્તિ પૂજા એવા પણ પ્રકારો છે.”
1. “નમો’ શબ્દનો વિસ્તૃત અર્થ સૂત્રસંવેદના ભા. ૧ના પ્રથમ સૂત્રના પ્રથમ પદમાં જુઓ. 'पुष्पामिषस्तोत्रप्रतिपत्तिपूजानां यथोत्तरं प्राधान्य' प्रतिपत्तिश्च वीतरागे, पूजार्थं च नम इति । पूजा च द्रव्यभावसङ्कोच इत्युक्तम् ।
- લલિતવિસ્તરા 2. અંગપૂજા - પ્રભુની પ્રતિમાનો સ્પર્શ કરવા પૂર્વક જલ, કેસર, બરાસ આદિથી જે પૂજા
કરાય તેને અંગપૂજા કહેવાય છે. (ધર્મસંગ્રહ પ્રમાણે) પુષ્પપૂજા અને ધૂપપૂજાનો સમાવેશ
આ અંગપૂજામાં થાય છે. 3. અગ્રપૂજા - પ્રભુ પ્રતિમાની સન્મુખ ઉભા રહી દીપક, અક્ષત, નૈવેદ્ય આદિથી પૂજા
કરાય તેને અગ્રપૂજા કહેવાય છે. આમિષપૂજાનો સમાવેશ આમાં થાય છે. 4. ભાવપૂજા - પ્રભુ સન્મુખ સ્તુતિ, સ્તવન, સ્તોત્રાદિ બોલવા પૂર્વક જે ભક્તિ થાય છે, તે
ભાવપૂજા છે. સ્તોત્રપૂજાનો સમાવેશ આમાં થઈ શકે છે.