________________
નમોહ્યુ ણં સૂત્ર
કરવાની ? આ જિજ્ઞાસાને સંતોષવા સ્તોત્રકારે આ પ્રભુ જ સ્તુતિ કરવા યોગ્ય કેમ છે તેના સાધારણ (સર્વમાં ઉપલબ્ધ થાય તેવા) તથા અસાધારણ (તીર્થકરમાં જ ઉપલબ્ધ થાય તેવા) કારણો દર્શાવ્યા છે.
ત્યારપછી “પુરિસુતાણ આદિ ચાર પદોની ત્રીજી “અસાધારણ હેતુ સંપદા' જણાવાઈ છે. સામાન્યથી સ્તુતિના કારણો જાણ્યા પછી પ્રજ્ઞાવાન પુરુષને પ્રશ્ન થાય કે, પ્રભુ પ્રથમથી અંત સુધી કેવા હતા ? આના ઉત્તરરૂપે નિગોથી માંડી અંતિમ ભવ સુધી પ્રભુનો આત્મા કેટલો વિશિષ્ટ હતો તે આ સંપદા દ્વારા વર્ણવાયુ છે.
ત્યારપછી “લોગરમાણ આદિ પાંચ પદોની ચોથી (સ્તોતવ્ય સંપદાની જ) સામાન્ય ઉપયોગ સંપદા' દર્શાવાઈ છે. આટલું જાણ્યા પછી પણ પ્રેક્ષાવાનને પ્રશ્ન થાય કે, ભલે અરિહંત ભગવંતો આ જગતમાં સર્વ શ્રેષ્ઠ હોય તોપણ તેમનાથી આપણને શું ફાયદો ? આનો ઉત્તર આ પદો દ્વારા આપવામાં આવ્યો છે.
પુન: વિદ્વાનને પ્રશ્ન થાય કે, અરિહંત ભગવંતો લોકમાં ઉત્તમ છે, લોકનું હિત કરે છે વગેરે વાતો સાચી, પણ આ હિતાદિની પ્રવૃત્તિ કઈ રીતે કરે છે ? તેઓ આવી જિજ્ઞાસાને સંતોષવા “અભયદયાણ આદિ પાંચ પદોની પાંચમી . (સામાન્ય ઉપયોગ સંપદાની) હેતુ સંપદા' દર્શાવી જણાવ્યું કે, અભયાદિભાવે રહેલા પ્રભુ જગતના જીવોને અભયાદિ આપી હિત કરે છે આ રીતે સામાન્ય ઉપયોગના કારણો વર્ણવ્યા છે.
ત્યારબાદ “ધમ્મદયાણ' આદિ ૫ પદોની છઠ્ઠી (સ્તોતવ્ય સંપદાની જ) વિશેષ ઉપયોગ સંપદા' વર્ણવાઈ છે. હેતુ સહિત સામાન્ય ઉપયોગને જાણ્યા - પછી પણ સકર્ણ-જીવોને (બુદ્ધિશાળી જીવોને) જાણવાની ઇચ્છા થાય કે,
તુતિપાત્ર પ્રભુનો વિશેષ ઉપયોગ શું છે? આ પદો દ્વારા જણાવ્યું કે, શ્રતધર્મરૂપ - સામાન્ય ધર્મની જેમ ચારિત્રધર્મરૂપ વિશેષ ગુણોને પણ પ્રભુ પ્રાપ્ત
કરાવનારા છે. છે ત્યારપછી “અપ્પડિહયવરનાણ' આદિ બે પદોની સાતમી (સ્તોતવ્ય સંપદાની) “સકારણ સ્વરૂપ સંપદા' જણાવાઈ છે. પ્રભુ સામાન્યથી અને