SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ સૂત્રસંવેદના-૨ શ્રીસિદ્ધર્ષિગણી કે જેમણે “ઉપમિતિભવપ્રપંચા' જેવી દુનિયાની શ્રેષ્ઠ રૂપક કથા લખી છે, તેઓ પણ આ જ લલિતવિસ્તરા ગ્રંથથી ધર્મમાં સ્થિર થયા હતા. સાધનાજીવનના પ્રારંભમાં તેઓ બૌદ્ધમતથી પ્રભાવિત થયેલા, તેમણે એકવીશવાર જૈન અને બૌદ્ધધર્મની વચ્ચે ઝોલાં ખાધાં, પરંતુ જ્યારે તેમણે લલિતવિસ્તરામાં વર્ણવેલ શ્રીઅરિહંત પરમાત્માનું સ્વરૂપ વાંચ્યું, ત્યારથી તેઓ જૈનશાસન પ્રત્યે અડગ શ્રદ્ધાવાળા થઈ ગયા. લલિતવિસ્તરા ગ્રંથનું ગુજરાતી ભાષાંતર અને સુંદર વિવેચન વર્ધમાન તપોનિધિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજે પરમતેજ' નામના પુસ્તકમાં કરેલ છે. વિશેષ જાણવાની ઇચ્છાવાળાએ તે પુસ્તક જોવું. અહીં તો સૂત્ર બોલતાં જેટલા ભાવો ઉપસ્થિત થઈ શકે તેટલી જ અર્થ અને તેની સંવેદના રજૂ કરાઈ છે. આ સૂત્રમાં અરિહંત પરમાત્માનું નિગોંદ અવસ્થાથી માંડી છેક મોક્ષ સુધીનું વર્ણન જોવા મળે છે. મુક્તિ મંઝીલ સુધીની સુદીર્ઘ યાત્રામાં તેઓશ્રીનું. તથાભવ્યત્વ કેટલું વિશિષ્ટ છે, તેના કારણે તેઓ પ્રત્યેક સ્થાનમાં કેવા ઝળકે છે, ભવ્ય જીવો ઉપર કેવી રીતે ઉપકાર કરે છે. પ્રત્યેક ભવોમાં તથા અંતિમ ભવમાં તેમનું બાહ્ય તથા અત્યંતર સ્વરૂપ કેવું છે તેનું રોચક વર્ણન છે. આ સૂત્રના એક-એક પદો અનંતા ગમ-પર્યાયથી એટલે અનંતા અર્થથી યુક્ત છે. તેમાં ૯ સંપદાઓ છે. આ સંપદાઓના નામ, તેનો ક્રમ અને તેના પ્રયોજન પણ વિશિષ્ટ છે. આ સર્વેનો બોધ થવાથી વિચારક વ્યક્તિઓ માટે આ સૂત્રનું ઉચ્ચારણ-ચિંતન-મનન આદિ અત્યંત આનંદપ્રદ બને છે. તેમાં સૌ પ્રથમ નમોકલ્યુર્ણ આદિ ત્રણ પદોની “સ્તોતવ્ય સંપદા' રજૂ કરાઈ છે. વિચારક પુરુષો હંમેશા વિષયની જાણકારી મેળવી પછી તેમાં પ્રવૃત્તિ કરે છે. માટે સ્તુતિની શરૂઆત કરતાં પૂર્વે સ્તુતિ કરવા યોગ્ય કોણ છે તે આ સંપદામાં જણાવ્યું છે. ત્યારપછી “આઈગરાણ' આદિ ત્રણ પદોની બનેલી બીજી પ્રધાનસાધારણ-અસાધારણ-હેતુ” સંપદા રજૂ કરાઈ છે. અરિહંત ભગવંત જ સ્તુતિ પાત્ર છે તે જાણ્યા પછી બુદ્ધિમાન પુરુષને પ્રશ્ન થાય જ કે, આ જગતમાં ઇચ્છિતને આપનારા દેવો તો ઘણા છે છતાં અરિહંત ભગવંતોની જ કેમ સ્તુતિ
SR No.005836
Book TitleSutra Samvedana Part 02
Original Sutra AuthorN/A
AuthorPrashamitashreeji
PublisherSanmarg Prakashan
Publication Year2012
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy