________________
નમોહ્યુ ણં સૂત્રા
સૂત્ર પરિચય :
ગણધર રચિત આ સ્તોત્ર દ્વારા ઈન્દ્રમહારાજા પરમાત્માની સ્તવના કરે છે, તેથી તેનું બીજું નામ “શસ્તવ' છે. વળી, આ સૂત્રમાં નમસ્કાર કરવા માટે સહેલાઈથી બોલી શકાય તેવાં સરળ પદો છે. તેથી તેને પ્રણિપાતદંડક પણ કહેવાય છે. - આ જગતમાં ભગવાનને માનનારા-પૂજનારા લોકો તો ઘણા છે. પરંતુ
ભગવાનનું વાસ્તવિક સ્વરૂપ કેવું હોય અને આવા સ્વરૂપવાળા ભગવાનને જ કેમ માનવા કે પૂજવા જોઈએ, તેનું જ્ઞાન ઘણા લોકોને હોતું નથી. આવા જ્ઞાન વગર ભગવાનની ભક્તિ આદિનું વાસ્તવિક ફળ મળતું નથી. તેથી ભગવાનના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન મેળવવા આ સૂત્રને સમજવું અતિ જરૂરી છે.
ગણધરોની આ વિશિષ્ટ રચનામાં સમાયેલા ગૂઢ ભાવો આપણા જેવા બાળજીવો માટે સમજવા ઘણા અઘરા છે, પરંતુ આપણો મહાન પુણ્યોદય કે તે ગૂઢ ભાવોને પરમોપકારી સૂરિપુરંદર પૂ. શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ શીલલિતવિસ્તરા' નામના ગ્રંથમાં સ્પષ્ટ કર્યા છે. આ ગ્રંથના આધારે જ આજે આપણે આ મહાન સૂત્રના યહુકિંચિત્ પણ અર્થને સમજી શકીએ છીએ.
આપણા જેવા બાળજીવોની વાત તો દૂર રહી, પણ મહાબુદ્ધિશાળી