SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ : સૂત્રસંવેદના-૨ અનંતા જીવો શુભભાવને સાધી શક્યા છે. સમ્યક્ત્વ આદિ સદ્ગણોના સ્વામી બની ભવસાગર તરી શક્યા છે. આ શબ્દો દ્વારા સાધક તે જિનબિંબોને બે હાથ જોડી મસ્તક નમાવી ભાવથી વંદન કરે છે. આ સૂત્ર બોલતાં સાધક વિચારે કે, જેમ અનંતા આત્માઓ આ આલંબનને યામી વીતરાગભાવને પામ્યા, તેમ હું પણ આ તીર્ષાદિની વંદનાથી , વીતરાગભાવને પ્રાપ્ત કર્યું અને અનાદિકાળથી મને દુઃખી કરનાર મારા રાગાદિ દોષોને દૂર કરે” - આવા ભાવ સાથે જો પરમાત્માને વંદના કરવામાં આવે તો વંદના કરનાર આત્મા કોઈ અગોચર ભાવને પામી, મહાનિર્જરા કરી જરૂર આત્માની શુદ્ધિ કરવા પૂર્વક આત્મિક આનંદ પ્રાપ્ત કરી શકે. જિજ્ઞાસા ? શત્રુંજયાદિ તીર્થને તીર્થ કહેવાય, પણ સ્વર્ગાદિમાં રહેલાં જિનમંદિરોને પણ તીર્થ કહી શકાય ? તૃપ્તિ શત્રુંજયાદિ તીર્થોની જેમ, જે જિનમંદિરો ૧૦૦ વર્ષ કે તેથી વધારે પ્રાચીન હોય, લાંબાકાળથી પૂજાયેલા હોય અને જેનામાં વિશેષ તારક શક્તિ હોય, તે જિનમંદિરો કે જિન સંબંધી સ્થળને પણ તીર્થ કહેવાય છે. આથી જ સ્વર્ગમાં, પાતાળમાં કે મનુષ્યલોકમાં જે શાશ્વતાં જિનમંદિરો છે, તેને તીર્થ કહી શકાય છે. જિજ્ઞાસા : “ના નિurવિવા' માં બહુવચન શા માટે ? . તૃપ્તિ સામાન્ય રીતે ઘણાં મંદિરો કે ઘણી પ્રતિમાઓ વિશેષ ભાવોલ્લાસનું કારણ બને છે અને બહુવચનાત શબ્દ દ્વારા ઘણાં જિનબિંબોની સ્મૃતિ સહજ થઈ શકે માટે અહીં – “નારું નિર્વિવારું' માં બહુવચન મૂક્યું છે. જિજ્ઞાસા : આ સૂત્રમાં તીર્થને વંદના કરી, તીર્થમાં જિનબિંબ પણ આવી જતાં હતાં છતાં જિનબિંબને જુદી વંદના કરવાનું કારણ શું ? તૃપ્તિ : તીર્થ અને જિનબિંબ બન્નેમાં તારવાની તાકાત છે તોપણ તીર્થ સ્થાનમાં જિનપ્રતિમાનું મહત્ત્વ અધિક હોય છે. વળી ભગવાનની પ્રતિમાઓ વિશેષ ભાવોલ્લાસનું કારણ પણ બને છે માટે તીર્થ કરતાં તેનો જુદો ઉલ્લેખ કર્યો હોય તેવું જણાય છે.
SR No.005836
Book TitleSutra Samvedana Part 02
Original Sutra AuthorN/A
AuthorPrashamitashreeji
PublisherSanmarg Prakashan
Publication Year2012
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy