________________
જકિંચિ સૂત્ર
‘તીર્થતે અનેન કૃતિ તીર્થમ્ - જેનાથી તરાય અથવા જે તારે તે તીર્થ કહેવાય છે. આમ તો કોઈપણ આત્મા પોતાના શુભ ભાવોથી જ સંસારસાગર તરી શકે છે, તોપણ આત્માને તારનારાં શુભભાવો કોઈક નિમિત્તોને પામીને ઉત્પન્ન થાય છે. આવાં નિમિત્તોમાં સર્વ શ્રેષ્ઠ નિમિત્ત તીર્થંકર પરમાત્મા છે. આ તીર્થંકર પરમાત્માની પ્રતિમાઓ જ્યાં સ્થાપિત કરેલી હોય, તેમનાં કલ્યાણકો જ્યાં થયાં હોય, અથવા પરમાત્મા સ્વદેહે જ્યાં વિચર્યા હોય તે સર્વ ક્ષેત્રને પણ તીર્થ કહેવાય છે. કેમ કે, આવા ઉત્તમ આત્માઓના સંગથી તે ભૂમિ પવિત્ર થઈ હોય છે, ત્યાં જવાથી, તે તે પરમાત્માની સ્મૃતિ તાજી કરવાથી સહેલાઈથી શુભ ભાવો ઉત્પન્ન થાય છે. આવાં જે કોઈ તીર્થો સ્વર્ગમાં, પાતાળમાં અને મનુષ્યલોકમાં છે, તે સર્વને હું વંદન કરું છું.
૪૭
સ્વર્ગલોકનાં તીર્થો ; ૧૨ દેવલોક, ૯ ત્રૈવેયક, ૫ અનુત્તર, ૯ લોકાંતિકાદિ વૈમાનિક દેવોના આવાસો જ્યાં છે, તેને સ્વર્ગલોક કહેવાય છે, તેનાં સર્વ વિમાનોમાં જે જિનમંદિરો છે, તે સર્વ સ્વર્ગલોકનાં તીર્થ છે.
.
પાતાળલોકનાં તીર્થો : રત્નપ્રભા પૃથ્વીના પેટાળમાં જે પાતાળલોક છે તેમાં ભવનપતિ, વ્યંતર, વાણવ્યંતરના આવાસો છે. તે સર્વ આવાસોમાં જે શાશ્વતાં જિનમંદિરો છે તે અને મહાવિદેહક્ષેત્રના અધોગ્રામમાં જ્યાં જ્યાં અશાશ્વતાં જિનમંદિરો છે તે સર્વે પાતાળ લોકનાં તીર્થો છે.
મનુષ્યલોકનાં તીર્થો : મનુષ્યલોકનો અર્થ અહીં અઢી દ્વીપ જ નહિ, પરંતુ સમગ્ર તિતિલોક સમજવો. તિર્આલોકમાં નંદીશ્વરાદિ છેક ચૌદમાં દ્વીપ સુધી જ્યાં શાશ્વતાં જિનમંદિરો છે અને અન્યત્ર જ્યાં જ્યાં શાશ્વતા-અશાશ્વતાં તીર્થસ્થાનો છે, તે સર્વે મનુષ્ય લોકનાં તીર્થો કહેવાય છે.
ખારૂં નિળવિંવાડું, તારૂં સવ્વારૂં વામિ - (અને) જે જિનેશ્વરોનાં બિંબો છે, તે સર્વને હું વંદન કરું છું.
ચૌદ રાજલોક પ્રમાણ આ વિશ્વમાં અનેક શાશ્વત તીર્થો છે અને અનેક અશાશ્વતા તીર્થો છે. આ સર્વ તીર્થોમાં જિનેશ્વર પરમાત્માની અનેક પ્રતિમાઓ છે. જે શુભભાવોનું પ્રબળ નિમિત છે. આ પ્રતિમાઓને પામી આજ સુધીમાં
2. તીર્થની વિશેષ વ્યાખ્યા લોગસ્સ સૂત્રમાં (સૂત્રસંવેદના ભાગ-૧) આપેલ છે. ૩. અંધોગ્રામ