________________
સૂત્રસંવેદના-૨
જંગમ તીર્થ એટલે હાલતું-ચાલતું તીર્થ. ભગવદ્ આજ્ઞાને હૈયામાં રાખીને, ભગવાનની આજ્ઞાને અનુસરનારાં સાધુ-સાધ્વીજી ભગવંતો જંગમ તીર્થસ્વરૂપ છે. આવા મહાત્માઓનાં દર્શન-વંદન-પૂજન-પરિચયાદિથી અનંતા આત્માઓ સન્માર્ગમાં જોડાય છે. યોગ્ય આત્માઓને એમનાં દર્શનાદિથી પણ સમ્યક્ત્વ અને ચારિત્રનો પરિણામ પેદા થઈ શકે છે અને એ પરિણામ દ્વારા સંસારસાગરને તરી શકે છે, તેથી તે પણ તીર્થ કહેવાય છે.
આમ છતાં આ સૂત્રમાં જંગમતીર્થોને છોડી મુખ્યત્વે સ્થાવર તીર્થો તથા તેમાં રહેલાં જિનબિંબોને વંદના ક૨વામાં આવી છે. આ સૂત્રનો ઉપયોગ ખાસ કરીને ચૈત્યવંદન કરતી વખતે કરવામાં આવે છે.
૪૬
મૂળ સૂત્ર :
जं किंचि नाम तित्थं, सग्गे पायालि माणुसे लोए । નારૂં નિળવિવાદું, તારૂં સન્મારૂં વંવામિ ।।।।
પદ-૪ : સંપદા-૧ : અક્ષર-૩૨
અન્વય સહિત સંસ્કૃત છાયા અને શબ્દાર્થ :
सग्गे पायालि माणुसे लोए जं किंचि नाम तित्थं । स्वर्गे पाताले मानुषे लोके यत्किंचित् नाम तीर्थम् ।
સ્વર્ગમાં, પાતાળમાં અને મનુષ્યલોકમાં જે કોઈ તીર્થ છે,
जाई जिबिंबाई ताई सव्वाइं वंदामि । । १ । ।
यानि जिनबिंबानि तानि सर्वाणि वन्दे ।। १ ।।
(અને) જે જિનેશ્વર (પરમાત્મા)ની પ્રતિમાઓ છે, તે સર્વને હું વંદન કરું છું.
સૂત્રનો વિશેષાર્થ :
ન વિધિ 'નામ તિર્થં સì પાહિ માનુસે છો! - સ્વર્ગમાં, પાતાળમાં અને મનુષ્યલોકમાં જે કોઈ તીર્થ છે, (તે સર્વને હું વંદન કરું છું.) 1. મૂળમાં જે ‘નામ' શબ્દ છે, તે વાક્યાલંકાર માટે વપરાયેલો એક અવ્યય છે.