SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્રસંવેદના-૨ જંગમ તીર્થ એટલે હાલતું-ચાલતું તીર્થ. ભગવદ્ આજ્ઞાને હૈયામાં રાખીને, ભગવાનની આજ્ઞાને અનુસરનારાં સાધુ-સાધ્વીજી ભગવંતો જંગમ તીર્થસ્વરૂપ છે. આવા મહાત્માઓનાં દર્શન-વંદન-પૂજન-પરિચયાદિથી અનંતા આત્માઓ સન્માર્ગમાં જોડાય છે. યોગ્ય આત્માઓને એમનાં દર્શનાદિથી પણ સમ્યક્ત્વ અને ચારિત્રનો પરિણામ પેદા થઈ શકે છે અને એ પરિણામ દ્વારા સંસારસાગરને તરી શકે છે, તેથી તે પણ તીર્થ કહેવાય છે. આમ છતાં આ સૂત્રમાં જંગમતીર્થોને છોડી મુખ્યત્વે સ્થાવર તીર્થો તથા તેમાં રહેલાં જિનબિંબોને વંદના ક૨વામાં આવી છે. આ સૂત્રનો ઉપયોગ ખાસ કરીને ચૈત્યવંદન કરતી વખતે કરવામાં આવે છે. ૪૬ મૂળ સૂત્ર : जं किंचि नाम तित्थं, सग्गे पायालि माणुसे लोए । નારૂં નિળવિવાદું, તારૂં સન્મારૂં વંવામિ ।।।। પદ-૪ : સંપદા-૧ : અક્ષર-૩૨ અન્વય સહિત સંસ્કૃત છાયા અને શબ્દાર્થ : सग्गे पायालि माणुसे लोए जं किंचि नाम तित्थं । स्वर्गे पाताले मानुषे लोके यत्किंचित् नाम तीर्थम् । સ્વર્ગમાં, પાતાળમાં અને મનુષ્યલોકમાં જે કોઈ તીર્થ છે, जाई जिबिंबाई ताई सव्वाइं वंदामि । । १ । । यानि जिनबिंबानि तानि सर्वाणि वन्दे ।। १ ।। (અને) જે જિનેશ્વર (પરમાત્મા)ની પ્રતિમાઓ છે, તે સર્વને હું વંદન કરું છું. સૂત્રનો વિશેષાર્થ : ન વિધિ 'નામ તિર્થં સì પાહિ માનુસે છો! - સ્વર્ગમાં, પાતાળમાં અને મનુષ્યલોકમાં જે કોઈ તીર્થ છે, (તે સર્વને હું વંદન કરું છું.) 1. મૂળમાં જે ‘નામ' શબ્દ છે, તે વાક્યાલંકાર માટે વપરાયેલો એક અવ્યય છે.
SR No.005836
Book TitleSutra Samvedana Part 02
Original Sutra AuthorN/A
AuthorPrashamitashreeji
PublisherSanmarg Prakashan
Publication Year2012
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy