________________
સૂત્રસંવેદના-૨
વિશેષથી કઈ રીતે ઉપકાર કરે છે તે જાણ્યા પછી પણ બુદ્ધિમાન જીવોને આ પ્રભુનું વિશેષ સ્વરૂપ શું છે ? તે જાણવાની ઇચ્છા થાય છે, માટે જ આ બે પદો દ્વારા પ્રભુ સર્વજ્ઞ છે અને સર્વદર્શી છે તે જણાવવામાં આવ્યું છે.
પર.
આટલું જાણ્યા પછી પણ સંપૂર્ણ સુખેથ્થુ સાધકને સવાલ થાય કે, આ પ્રભુ આપણને ક્યાં સુધી પહોંચાડી શકશે ? તેના સમાધાન માટે જં ‘જિણાણું જાવયાણં’ આદિ ૪ પદોની ‘આત્મતુલ્ય પરફ્ળ કર્તૃત્વ' નામની આઠમી સંપદા દર્શાવી છે. તે દ્વારા સાધકને સંતોષ પણ પમાડ્યો છે કે, કોઈ રાજા, મહારાજા કે શેઠ શ્રીમંતની સેવા એવી નથી કે પોતાના સેવકને તેના જેવો બનાવે. જ્યારે આ પ્રભુની સેવાનું ફળ સેવકને તેમના જેવો જ બનાવે છે. જ્યારે આ પ્રભુની સેવાનું ફળ સેવકને તેમના જેવો જ બનાવે છે. અનાશંસ ભાવે સેવા કરનાર સાધક પ્રભુ પાસે જેવું સુખ છે તેવું પૂર્ણ સુખ પ્રાપ્ત કરી શકે છે.
અરિહંત ભગવંતોનું પૂર્ણ સ્વરૂપ ખ્યાલમાં આવ્યા પછી પણ દીર્ઘદૃષ્ટિવાનને થાય કે, આવા પ્રભુ કેવા સુખને પામ્યા છે ? અત્યારે ક્યાં છે ? કેટલો સમય આવી સ્થિતિમાં રહેવાના છે ? વગેરે પ્રશ્નોના ઉત્તરરૂપે ‘સવ્વન્ત્ર્ણસવ્વદરિસીણં' વગેરે ૪ પદોની નવમી ‘પ્રધાન ગુણ અપરિક્ષય પ્રધાન ફળ પ્રાપ્તિ અભય સંપદા' વર્ણવાઈ છે. તે દ્વારા પ્રભુને પ્રાપ્ત ગુણો ક્યારેય નાશ પામવાના નથી. તેઓ સદા કાળ મોક્ષમાં રહેવાના છે તેમ જણાવી મોક્ષનું સુંદર ધ્યાન આપ્યું છે.
લલિતવિસ્તરા ગ્રંથમાં આ સૂત્રનું આટલે સુધીનું જ વિવેચન પ્રાપ્ત થાય છે, તેથી છેલ્લી ‘જે અ અઈઆ સિદ્ધા...' વાળી ગાથા પાછળથી આ સૂત્રમાં જોડાઈ હશે એવી પ્રચલિત માન્યતા છે.
આ સૂત્રનો ઉપયોગ ચૈત્યવંદન અને પ્રતિક્રમણની આવશ્યક ક્રિયાઓમાં ભાવ અરિહંતનું સ્વરૂપ ઉપસ્થિત કરી, તેમને વંદન કરવા માટે થાય છે.