________________
૪૪.
સૂત્રસંવેદના-૨
ભવિષ્યમાં થનારા અને વર્તમાનમાં વિદ્યમાન હોય તે સર્વ તીર્થંકર પરમાત્માને હું વંદન કરું છું.
સર્વ ચૈત્ય અને સર્વ બિંબને અલગ અલગ યાદ કરી શકાય તેમ નથી માટે હવે તેને સામૂહિકરૂપે સ્મરણમાં લાવી વંદના કરે છે -
सत्ताणवइ-सहस्सा, लक्खा छप्पन अट्ठकोडीओ, बत्तीस सय વાણીયારું તિગસ્ટો વંદે - ત્રણે લોકમાં રહેલા આઠ કરોડ, છપ્પન લાખ, સત્તાણું હજાર, બત્રીસસો અને વ્યાસી (૮,૫૭,00,૨૮૨) શાશ્વતા ચૈત્યોને હું વંદન કરું છું.
૮,૦૦,૦૦,૦૦૦ આઠ કરોડ પક,૦૦,૦૦૦ છપ્પન લાખ
૯૭,૦૦૦ સત્તાણું હજાર [૩,૨૦૦ બત્રીસ સો
૮૨ વ્યાસી ’ ૮,૫૭,૦૦,૨૮૨ पन्नरस कोडी सयाई, कोडी बायाल लक्ख अडवन्ना, छत्तीस સદા વસીયું, સાથ-વિંવાડું પછામામિ - (શાશ્વતા ચૈત્યોમાં રહેલા) પંદરસો કરોડ (પંદર અબજ), બેતાલીસ કરોડ, અઠ્ઠાવન લાખ, છત્રીસ હજાર અને એંશી શાશ્વતાં જિનબિંબોને હું પ્રણામ કરું છું (૧૫,૪૨,૫૮,૩૬,૦૮૦).
આમ આ ચૈત્યવંદનમાં પ્રાતઃસ્મરણીય તીર્થકર દેવોના ગુણગાન કરીને તેમના બિબો, ચૈત્યો તથા તીર્થોને ભક્તિ-ભાવથી વંદન કરવામાં આવેલ છે. આ રીતે સંકલ્પપૂર્વક ચોવીસ તીર્થકરો આદિનું સ્મરણ કરી વંદના કરવાથી અરિહંત આદિ ઉત્તમ પુરુષો તરફ ચિત્ત વિશેષ આવર્જિત (આકર્ષિત) થાય છે, અને સંસારના તુચ્છ ભાવોથી ચિત્ત વિમુખ થાય છે, તેથી સંસાર અલ્પ થાય છે, વિશેષ પુણ્યનો બંધ થાય છે અને પરંપરાએ આત્માને મોક્ષની પ્રાપ્તિ થાય છે.
6. આ ચૈત્ય તથા બિંબની વિશેષ સમજ સૂત્ર સંવેદના-પમાં સકલ તીર્થ સૂત્રથી જાણવી.