________________
જગચિંતામણિ સૂત્ર
૪૩
શત્રુંજય તીર્થ શાશ્વત તીર્થ છે. આ તીર્થના માહાભ્યથી અનંતા જીવોએ અંતરંગ શત્રુઓ પર વિજય મેળવ્યો છે, તેથી તેનું નામ શત્રુંજય છે. આ તીર્થને સાંનિધ્યથી અનંતા જીવો સિદ્ધિગતિને પામ્યા છે, તેથી તેનું નામ સિદ્ધક્ષેત્ર પણ છે. આની તોલે આવી શકે તેવું ત્રણે લોકમાં કોઈ તીર્થ નથી. આ રીતે આ મહાતીર્થના વિવિધ પ્રકારના પ્રભાવને કારણે તેનાં ૨૧ અને ૧૦૮ નામો પ્રસિદ્ધિ પામ્યાં છે. હાલમાં ત્યાં શ્રીઋષભદેવ પરમાત્મા મૂળનાયક તરીકે બિરાજમાન છે.
રૂપિતિ પદ-મિનિળ - ગિરનાર ઉપર બિરાજતા) નેમિનાથ પ્રભુ (આપ જ્ય પામો).
ગિરનાર પર્વત ઉજ્જયંતગિરિ અથવા રેવતગિરિના નામથી પ્રસિદ્ધ છે. તેના ઉપર બાવીસમા તીર્થંકર શ્રીઅરિષ્ટનેમિ (નેમિનાથ)ની દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણ એ ત્રણ કલ્યાણકો થયેલા હોવાથી તે અતિપવિત્ર ગણાય છે.
નય૩ વીર સરિ મંડળ - સાંચોર (સત્યપુરી) મંડણ એવા હે વીર પ્રભુ! (આપ જય પામો). " મ ચ્છર મુનિસુવા - ભરુચમાં બિરાજમાન) શ્રીમુનિસુવ્રત "સ્વામી (જય પામો). "
મુહરિ (મદુરિ) પાસ સુદ-રિન-વંડ - દુઃખ અને દુરિતનો નાશ કરનાર મથુરી પાર્શ્વ = મથુરામાં રહેલા પાર્થ પ્રભુ (જય પામો).
આ પદો દ્વારા તે તે તીર્થસ્થાનોને સ્મૃતિપટ પર લાવી, તે તે તીર્થ દ્વારા અનંતા આત્માઓને થયેલા ઉપકારો યાદ કરી ભાવપૂર્વક વંદના કરવાથી ઘણાં - કર્મોનો ક્ષય થાય છે અને મહાન પુણ્યનો બંધ થાય છે. વળી તીર્થ અને
તીર્થપતિના વંદનથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ, વિશુદ્ધિ અને વૃદ્ધિ થાય છે. - સવર િિદ તિસ્થાર - મહાવિદેહમાં વિચરતા બીજા તીર્થકરોને (હું
વંદન કરું છું.) * વિહં લિસિ વિલિસિનિ - ચાર દિશાઓમાં અને વિદિશાઓમાં રહેલા જે કોઈ પણ (તીર્થકરોની પ્રતિમાઓ છે તેને હું વંદન કરું છું.) તીમાળી સંપરૂ વંદુ નિ સલ્વે વિ - ભૂતકાળમાં થઈ ગયેલા,