________________
સૂત્રસંવેદના-૨
વર્તમાનમાં શ્રેષ્ઠ જ્ઞાનવાળા અર્થાત્
मुणि बहु-कोडिहिं वरणाण કેવળજ્ઞાની, મુનિઓ વધારેમાં વધારે બે કરોડ (૨,૦૦,૦૦,૦૦૦) હોય છે.
૪૨
समणह कोडी - सहस्स - दुअ
વળી, વર્તમાનમાં શ્રમણોની સંખ્યા વધુમાં વધુ બે હજાર કરોડ અર્થાત્ વીસ અબજની (૨૦,૦૦,૦૦,૦૦,000) છે. અહીં એ ધ્યાનમાં રાખવું કે, આ બધા શ્રમણો છઠ્ઠા-સાતમા ગુણસ્થાનકે વર્તનારા છે.
थुणि नि विहाणि
-
કરાય છે.
-
પ્રાતઃકાળમાં હંમેશા જેમની સ્તવના
આ પદો દ્વારા ઉત્કૃષ્ટ અને જઘન્ય સંખ્યાથી તીર્થંકર, કેવળી અને મુનિ ભગવંતોને સ્મૃતિમાં લાવવાના છે. પ્રભાતમાં તેમની નિત્ય વંદના કરવામાં આવે છે, જે ભવ્યાત્માઓ માટે વિશિષ્ટ ભાવવૃદ્ધિનું કારણ બને છે.
વર્તમાનકાળમાં પણ મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થંકરભગવંતો, કેવળીઓ અને સુસાધુઓ વિપુલ પ્રમાણમાં છે, તોપણ આપણું પુણ્ય નબળું છે. તેથી આપણને તે મળી શક્યા નથી. આથી જ આપણે અનેક શંકાઓના સ્પષ્ટપણે સમાધાનો મેળવી સન્માર્ગમાં વિશેષ યત્ન કરી શકતા નથી. આ મહાપુરુષોને યાદ કરી આ કાળમાં મળેલા દેવ-ગુરુની એવી સેવા-ભક્તિ કરીએ કે, જેથી નજીકમાં જ તીર્થંકર જેવા દેવ અને નિગ્રંથ ગુરુ ભગવંતો આપણને મળી શકે. આ પદ બોલતાં આવો સંકલ્પ વિશેષ ભાવનું કારણ બની શકે છે.
ચોવીસ તીર્થંકરો, કેવળીભગવંતો, મુનિભગવંતો વગેરેને વંદના કરીને પણ સંતુષ્ટ નહિ થયેલો સાધક, પોતાના ભાવોલ્લાસની વૃદ્ધિ માટે વર્તમાનમાં જે વિશિષ્ટ તીર્થસ્થાનો છે, તેમાં રહેલા મૂળનાયક ભગવાનને યાદ ક૨વા પૂર્વક સ્તુતિ કરે છે -
जयउ सामिअ ! जयउ सामिअ !
તમે જય પામો !
હે સ્વામી, તમે જય પામો !
રિસદ સત્તુનિ - શત્રુંજયતીર્થ ઉપર રહેલા શ્રીઋષભદેવ ભગવાન (જય પામો.)