________________
૪૦.
સૂત્રસંવેદના-૨
મમૂર્દિ પૂમિદ્ધિ - કર્મભૂમિમાં આ પદથી ભગવાનનું જન્મક્ષેત્ર બતાવાય છે. જે ક્ષેત્રમાં અસિ, મસિ અને કૃષિનો વ્યવહાર ચાલે છે તેને કર્મભૂમિ કહેવાય છે. આવી કર્મભૂમિ ૧૫ છે. ૫ ભરત, ૫ ઐરાવત અને ૫ મહાવિદેહ. અહીં અસિ, મસિ અને કૃષિનો વ્યવહાર ચાલતો હોવાને કારણે, કર્મબંધનાં નિમિત્તો પણ અહીં વધુ મળે છે અને કર્મનો ક્ષય કરવા માટે સંયમ આદિની સુંદર સામગ્રી તેમજ મોક્ષની પ્રાપ્તિ પણ આ ક્ષેત્રમાં જ થાય છે, આથી જ જિનેશ્વર ભગવંતોનો જન્મ પણ આ કર્મભૂમિમાં જ થાય છે. પસંયળ - વજઋષભનારા નામના પ્રથમ સંઘયણવાળા.
સંઘયણ એટલે શરીરનો બાંધો, હાડકાંની મજબૂતાઈ. શાસ્ત્રમાં સંઘયણ છે પ્રકારનાં બતાવ્યાં છે. તેમાં પ્રથમ વજઋષભનારાચ સંઘયણ છે. આ સંઘયણવાળા જીવના શરીરની મજબૂતાઈ વિશેષ પ્રકારની હોય છે. આ સંઘયણવાળા આત્માઓ જ મોક્ષે જઈ શકે છે. બીજા કોઈપણ સંઘયણવાળા જીવોમાં એવું સત્ત્વ કે શક્તિ નથી કે તે સર્વ કર્મ ખપાવી મોક્ષમાં જઈ શકે. આથી અરિહંતભગવંતો વજઋષભનારીચ નામના પહેલા સંઘયણવાળા હોય છે.
ડોલી સત્તરીય નિવેરા વિદાંત સૂક્ષ્મ - ઉત્કૃષ્ટથી 5૧૭૦ જિનેશ્વરો એક સાથે વિચરતા પ્રાપ્ત થઈ શકે છે.
પ્રથમ ગાથામાં દર્શાવેલાં વિશેષણોવાળા, કર્મભૂમિમાં જન્મ પામેલા અને વિશેષ પ્રકારના શારીરિક બળવાળા અરિહંતભગવંતો વધુમાં વધુ ૧૭૦ 3. અસિ = તલવારનો વ્યવહાર, મસિ = શાહીનો ઉપયોગ તથા કૃષિ = ખેતીવાડી, વાણિજ્ય,
વેપાર વગેરે. 4. છ સંઘયણ : ૧.વજઋષભનારા ૨.ઋષભનારાચ ૩. નારાચ ૪.અર્ધનારાચ ૫.કીલિકા
ક. છેવટું. 5. ૧૭૦ જિનનાં ક્ષેત્ર :
ભરત એરવત મહાવિદેહની વિજયો જબૂદ્વીપ ૧ ૧ ૩૨ ઘાતકીખંડ ૨ ૨ ૧૪ અર્ધપુષ્કરાવદ્વીપ ૨ ૧૪
૫ ૫ ૧૬૦ (૫+૫+૧૦૦=૧૭૦)