________________
જગચિંતામણિ સૂત્ર
૩૫
હોઈ “ઘીની નાળ' જેવી માની શકે છે, તેમ આ આપત્તિ જ મારા સુખનું સાધન છે, તેમ માનતો ભવ્યાત્મા આપત્તિમાં પણ હર્ષનો અનુભવ કરી શકે છે.
જેઓ ભગવાનને બાંધવ તુલ્ય માની તેમના પ્રત્યે અહોભાવ, આદરભાવ અને પ્રેમભાવને રાખે છે, તેમના વચનને સતત હૃદયમાં ધારણ કરે છે અને તેમના વચનાનુસાર યથાશક્ય જીવનને બદલવા પ્રયત્ન કરે છે, તેઓ માટે આવા વિષમકાળમાં પણ ભગવાન ચોક્કસ એક બાંધવ તુલ્ય બને છે. આ પદ બોલતાં સાધક વિચારે કે,
કોઈને ન મળે એવો ભાઈ મને મળ્યો છે. સાથે મારો પરમ પુણ્યોદય છે. ગમે તેવી આપત્તિ આવે તોપણ હવે મારે કોઈ ચિંતા નથી. કેમ કે હેમખેમ પાર ઉતારનાર વિશ્વબંધું મારી સાથે છે”
-સત્થવાહ ! - હે જગતના સાર્થવાહ ! સાર્થ એટલે ઈષ્ટ સ્થળે પહોંચવા ઈચ્છતા મુસાફરોનો એક સમૂહ. જે આ સમૂહની સારસંભાળ રાખે અને ઈષ્ટ સ્થળે પહોંચાડવાનો પુરુષાર્થ કરે, તેવા તેના નાયક કે આગેવાનને સાર્થવાહ કહેવાય છે. સાર્થવાહ જેમ પોતાના સાર્થમાં જોડાયેલા તમામ વ્યક્તિઓનું રક્ષણ કરી, તેમને જોઈતી સર્વ સામગ્રી પૂરી પાડી, તે સર્વેને ઈષ્ટ સ્થાને પહોંચાડે છે, તેવી જ રીતે ભગવાન પણ પોતાના શાસનરૂપી સાર્થમાં જોડાયેલી તમામ વ્યક્તિઓને મોક્ષમાર્ગમાં જરૂરી બાહ્ય-અભ્યત્તર સર્વ સામગ્રી પૂરી પાડી, છેક મોક્ષ સુધી પહોંચાડે છે. આમ, ભગવાન પણ જૈનશાસનને પામેલા તમામ આત્માઓ માટે સાર્થવાહ તુલ્ય છે. આ પદ બોલતાં સાધક વિચારે કે,
“મારે તો સાર્થવાહ તુલ્ય આ ભગવાનના શાસનમાં ભાવથી પ્રવેશ કરવાનો છે. જો પ્રવેશ થઈ જાય તો જેમ સાર્થવાહની સહાયથી ભયંકર જંગલને પસાર કરી ઈષ્ટ સ્થાને પહોંચી શકાય છે, તેમ હું પણ ભયાનક એવી આ ભવ-અટવીને પાર કરી ઈષ્ટ એવા મોક્ષમાં પહોંચી શકીશ.”